SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # ઘૂમ માપાંચમી પૃથ્વીમાંતમ ધૂમ એટલેકે ધુમાડાની અધિકતા હોવાથી તેનું નામ ધૂમપ્રભા કહયું છે. તેનો ધૂમરુપ, ધૂમાવી ધૂમ દુલા એવો અર્થ પણ થાય. # તમ:મા–છઠ્ઠી પૃથ્વીમાં તમારું એટલેકે અંધકારની વિશેષતા હોવાથી તેનું નામતમપ્રભા કહયું છે.તેનો તમરૂપ,તમસમાવા,તમદુલા એવો અર્થ પણ થાય. ૪ મહારમ:મા–સાતમી પૃથ્વીમાં મહાતમ એટલે પ્રચુર અંધકાર હોવાથી તેનું નામ મહાતમપ્રભા કહયું છે. તેનો મહતમJNI,મહાતમ્ માવા,મહાતમ-વહુની એવો અર્થ પણ થાય. થનાવુવાતાવ પ્રતિષ્ઠા – આ સાતે પૃથ્વીઓ થનાંબુ, વાત અને આકાશને આધારે રહેલી છે. ૪ થનાવુ-એટલે ઘન પાણી, અથવા ઘાટું પાણી – થીજયા થી જેવું પાણી. # વનવતઃ– એટલે ધનવાયુ, ઘાટો વાયુ અથવા થીજયાળી જેવો વાયુ. # તનુવા:– એટલે પાતળોવાયુ, તાવેલા ઘી જેવો વાયુ મહિe:- આકાશ અરૂપી દ્રવ્ય છે. પદાર્થને અિવગાહના આધાર આપવાનો કે ધારણ કરવાનો આકાશનો ગુણ છે. પોતે પોતામાં રહે છે. જગત્ ના તમામ પદાર્થનો અંતિમ સર્વ સામાન્ય આધાર તે આકાશ છે. – આકાશ અનંત છે વળી તે આત્મ પ્રતિષ્ઠ છે. એટલે કે તે પોતાના આધાર પર રહેલું છે. અન્ય કોઈ દ્રવ્યના આધાર પર રહેલું નથી. તેનો આધાર આપવાનો ગુણ હોવાથી તેના ઉપર પાતળોવાયુ સ્થિર થાય છે. પાતળા વાયુ ઉપર જાડોવાયુધનવાત] સ્થિર થાય છે. ધનવાત ઉપર ધનોદધિ ઘાટું પાણી સ્થિર થાય છે. તેના ઉપર પિંક કાંડ) કાદવ વાળો ભાગ–તેના ઉપર [બરકાંડ પહેલી પૃથ્વીનો ખર ભાગ રહેલો હોય છે. આ જ વસ્તુને જૂદી રીતે કહીએ તો – સર્વપ્રથમ રત્નપ્રભા પૃથ્વી છે. તેની નીચે ધનોદધિ (થીજેલાથી જેવું પાણી) છે. ઘનોદધિની નીચે ધનવાત જાડો વાયુ છે. ધનવાતની નીચે [તનુવાત ]પાતળો વાયુ છે. અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની નીચે બીજી નરક ભૂમિ છે. બીજી નરક ભૂમિનીએ ફરીએક્રમમાં વનોદધિ-ધનવાત–તનુવાત-આકાશ છે. તેની નીચે ત્રીજી નરકભૂમિ છે અને એજ ક્રમમાં સાતમી નરકભૂમિ છે. સાતમીની નીચે પણ ઘનોદધિ-ધનવાત તનુવાત-આકાશ છે. શ્રી ભગવતીજી સ્ત્રમાં શતવા૨કશો -૬ સૂત્રપ૮સૂત્રપ૮માં લોકસ્થિતિના વર્ણનમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે –“ત્રણ-સ્થાવરાદિ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy