SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૮ એ રીતે શલાકા પ્યાલો જયાં ખાલી થાય ત્યાં સાક્ષીરૂપે એક દાણો પ્રતિશલાકા નામના પ્યાલામાં નાખવો. પ્રતિશલાકા પ્યાલોઃ– આ પ્રમાણે પ્રતિ શલાકા પ્યાલો જયારે ભરાઇ જાય ત્યારે -- અનવસ્થિત અને શલાકા પ્યાલો ભરેલો સ્થાપી રાખવો -પ્રતિશલાકા પ્યાલો ઉપાડી એક એક દાણો આગળ આગળના દ્વીપ સમુદ્રમાં નાખતા જવો. - - જયારે પ્રતિશલાકા પ્યાલો ખાલી થાય ત્યારે એક દાણો સાક્ષી રૂપે ચોથા મહાશલાકા નામના પ્યાલામાં નાખવો. – પછી શલાકા પ્યાલો ઉપાડીને એક એક દાણો આગળ આગળ દ્વીપ સમુદ્રમાં નાખતાં જવો. —તે ખાલી થાય ત્યારે સાક્ષી તરીકે એક દાણો ત્રીજા પ્રતિશલાકા પ્યાલામાં નાખવો. —તે પછી અનવસ્થિત પ્યાલો ઉપાડીને આગળ આગળના દ્વીપસમુદ્રમાં એક એક દાણો નાખતા જવો. —તે જયારે ખાલી થાય ત્યારે સાક્ષી તરીકે એક દાણો શલાકા પ્યાલામાં નાખવો. આ રીતે પ્રક્રિયા કરતા કરતા (૧) અનવસ્થિત પ્યાલાથી શલાકા પ્યાલો ભરવો. (૨) શલાકા પ્યાલા વડે પ્રતિશલાકા પ્યાલો ભરવો. ૩ (૩) પ્રતિશલાકા પ્યાલા વડે મહાશલાકા પ્યાલો ભરવો. આમ કરતા જયારે ચારે પ્યાલા ભરાઇ જાય, આગળ એક પણ દાણો નાખવાનું રહે નહીં ત્યારે ચારે પ્યાલા ભરેલા રહયા તેમાં અનવસ્થિત પ્યાલો જે દ્વીપ કે સમુદ્ર પાસે ખાલી થયો હોય તે દ્વીપ કે સમુદ્રના વિસ્તાર જેટલા માપ નો અનવસ્થિત પ્યાલો ભરેલો રાખવો. – બાકીના ત્રણે પ્યાલા તો લાખ-લાખ યોજન વિસ્તાર વાળાં જ છે. હવે સરસવના દાણાથી ભરાયેલા ચારે પ્યાલાના દાણાનો કોઇ એક વિશાળ સ્થાને ઢગલો કરવો તદુપરાંત –પૂર્વેદ્વીપ સમુદ્રમાં જેટલાં દાણા નાખેલા છે તે બધાં દાણાને પણ આ ઢગલામાં ભેગા કરવા. – ભેગા થયેલા આ બંને દાણાના ઢગલામાંથી એક દાણો ઓછો કરવો. - – ત્યારે ત્યાં જેટલા દાણા બાકી રહે તે દાણાની સંખ્યા ને જૈનદર્શનમાં ઉત્કૃષ્ટ - સંખ્યાતુ કહેવાય છે. અને- ત્રણ સંખ્યાથી માંડીને – ઉપરોકત ઢગલામાંથી બે દાણા ઓછા કરીએ ત્યાં સુધીની સંખ્યાને મધ્યમ સંખ્યાતુ કહેવાય છે. – જધન્ય સંખ્યાતા માટે તો પૂર્વે જણાવી ગયા કે બે ની સંખ્યા તે જધન્ય સંખ્યાતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy