________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૮
૬૧
મળેલો. ત્યાં પણ તેની ટીકામાં શા શબ્દની વ્યાખ્યા જોવા મળી નથી. ત્યાં પણ તેની ટીકામાં આ શબ્દની વ્યાખ્યા જોવા મળી નથી તેથી ગ્રન્થાન્તર થી આ માહિતી અત્રે રજૂ કરેલ છે. -બૃહત ક્ષેત્ર સમાસ ગાથા ૨ નું વિવેચન તથા ચોથોર્મિગ્રંથ ગાથા ૭૧ થી ૮૪
સંખ્યાતુ- અસંખ્યાતુ-અનંતની વ્યાખ્યાઃ (૧) સંખ્યાતાના ત્રણ ભેદ જધન્ય - મધ્યમ - ઉત્કૃષ્ટ (ર) અસંખ્યાતાના નવ ભેદઃ
(૧) પરિત અસંખ્યાત જધન્ય - મધ્યમ - ઉત્કૃષ્ટ
(૨) યુક્ત અસંખ્યાત - જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ (૩) અનંતાના નવ ભેદઃ અસંખ્યાત - જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ
(૧) પરિત અનંત જધન્ય – મધ્યમ-ઉત્કૃષ્ટ (૨) યુકત અસંખ્યાત - જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ
(૩) અનંત અસંખ્યાત - જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ આ રીતે સંખ્યાના ૩+૯+૯ એમ કુલ ૨૧ ભેદ કહયા.
૪ એકની સંખ્યામાં ગણના થતી નથી. તેથી જધન્ય સંખ્યા બે છે.
$ ઉત્કૃષ્ટ સંખ્યા સમજવા માટે શાસ્ત્રમાં ઉપમા થકી ચાર પ્યાલા અને સરસવના દ્રષ્ટાન્તથી રહસ્યમય વિગત કહી છે.
જંબૂદ્વીપ જેટલા-લાંબા પહોળા ગોળાકારે, એક લાખ યોજન વિસ્તારવાળા અને એક હજાર યોજન ઊંડા – આઠ યોજન ઊંચી જગતી અને બે ગાઉની ઊંચી વેદિકા સહિતના ચાર પ્યાલા લેવા. તેમના નામો (૧) અનવસ્થિત (૨) શલાકા (૩) પ્રતિશલાકા (૪) મહાશલાકા, તેમાં અનવસ્થિત પ્યાલાના માપમાં ફેરફાર થશે પણ બાકીના ત્રણે પ્યાલાના માપ સરખા રહેશે.
(૧)અનવસ્થિતપ્યાલો પહેલીવાર એકલાખયોજનનાવિસ્તાર વાળોગોળાકારે, એક હજાર યોજન ઊંડો,આઠયોજન ઊંચો, અડધા ગાઉની ક્લિારીવાળો લેવો.
આપ્યાલો સરસવનાદાણાથી શિખાસહિત એવી રીતે ભરવાનો કે પછી તેના ઉપર એક પણ દાણો રહી ન શકે.
હવે કલ્પના કરો કે કોઈ દેવ આપ્યાલો ઉપાડીને જાય અને જેબૂદ્વીપથી આરંભીને પ્રત્યેક દ્વીપ-સમુદ્રમાં એક એક દાણો નાખતા જાય. એમ કરતા જે દ્વીપ કે સમુદ્ર પાસે આ પ્યાલો ખાલી થાય ત્યાં તે દ્વીપ કે સમુદ્રના જેટલા વિસ્તાર વાળો એક હજાર યોજન ઊંડો વેદિકા સહતિનો પ્યાલો લે.
તે બીજા પ્યાલાને શીખા સુધી સરસવના દાણાથી ભરી લે. પાછો પ્યાલો ઉપાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org