SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ o व्यावृति अर्थ वचनम् तिर्यग् एव व्यवस्थिता इत्यर्थः * પૂર્વ પૂર્વ પરિક્ષેપિ: પૂર્વ-પૂર્વ ને વીંટાઇને રહેલા. – પૂર્વે જણાવ્યા મુજબ પ્રત્યેક દ્વીપ-સમુદ્ર પછી નો સમુદ્ર પૂર્વના દ્વીપને ચારે તરફથી ઘેરીને રહેલો છે. અને પ્રત્યેક સમુદ્ર પછીનો દ્વીપ પૂર્વના સમુદ્રને ઘેરીને રહેલો છે. એટલેકે તેની રચના ગામ કે નગર જેવી નથી તેવું સ્પષ્ટ થાય છે. ✡ જંબુદ્રીપ – લવણ સમુદ્ર થકી ચારે તરફથી ઘેરાયેલો છે. · લવણ સમુદ્ર ધાતકી ખંડ વડે ચારે તરફથી ઘેરાયેલોછે. -- – ધાતકી ખંડ કાલોદ સમુદ્ર વડે ચારે તરફથી ઘેરાયેલોછે. – કાલોદ સમુદ્ર અર્ધપુષ્કરવરદ્વીપ વડે ચાર તરફથી ઘેરાયેલોછે. – અર્ધપુષ્કરવર દ્વીપ માનુષોત્તર પર્વત વડે ચારે તરફથી ઘેરાયેલો છે. – માનુષોતર પર્વત બાકીના અર્ધપુષ્કરવર દ્વપથી ઘેરાયેલો છે. - પુષ્કરવદ્વીપ પુષ્કરવર સમુદ્રથી ચારે તરફથી ઘેરાયેલો છે. – એ રીતે છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી સમજી લેવું. • આ પ્રમાણેની રચનાનો વિચાર કરતા દ્વીપ-સમુદ્રની રચના ઘંટીના પડ અને થાળાની સમાન છે તેવું સ્પષ્ટ સમજાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વાધૃતય: વલય એટલે ગોળ બંગડી કે કંકણ જેવી આકૃતિ એટલે આકાર. - લવણાદિ સમુદ્દો અને દ્વીપ બધાંનો આકાર, તેમજ પુષ્કરવર દ્વીપમાં આવેલ માનુષોતર પર્વતનો આકાર- કંકણ સમાન ગોળ છે. - – લવણાદિ કેમ કહયું? પ્રથમ જંબુદ્રીપ કંકણ સમાન ગોળ આકૃતિ વાળો નથી માટે લવણાદિ કહયું છે. સૂત્રઃ૯ના ભાષ્યમાં કહયું છે કે – નવળાટ્ય વાય ધૃતા નવ્રૂદ્રીપસ્તુ પ્રવૃત્ત ! જંબુદ્રીપનોઆકાર સ્થામિવ થાળી જેવો ગોળછે. બાકીનાસમુદ્રનો આકાર કંકણ સમાન ગોળ છે. – વલયાકૃતિ શબ્દ સંસ્થાનને જણાવે છે. તેમજ વાયાકૃતય: એવું સુત્રકારે કહયું તેથી ત્રિકોણ-ચોરસ આદિ સંસ્થાનોનો નિષેધ થઇ જાય છે વત્તયસ્ય હવ આકૃતિ: संस्थानं येषां लवण जलादिनां तें वलयाकृतय: चतुरस्रादि निवृति अर्थ चेदम् अवगंतव्यम् વિશેષઃ પ્રસ્તુત સૂત્રની અભિનવટીકા સાથે સંબંધિત એક મહત્વ ની બાબત અહીં વિચારવી આવશ્યક છે. – દ્વીપ સમુદ્રોના નામને જણાવતા પૂર્વ સૂત્ર : ૭ માં કે આ સૂત્રમાં એક શબ્દ વપરાયો છે કે . . આ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર રહેલા છે. - બંને સૂત્રોના અર્થ તથા અભિનવટીકા માં કયાંય આ અસંખ્યાત સંખ્યાની વ્યાખ્યા જણાવી નથી. આ પૂર્વે અધ્યાય-બીજામાં પણ અસંખ્યાત શબ્દનો ઉલ્લેખ જોવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy