SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પણ આ ભૂમિ માં જ થાય છે. આ સઘળાં કારણો થી તેને કર્મભૂમિ કહી છે. -અસિ,મસિ, કૃષિ, વિદ્યા, શિલ્પ અને વાણિજય રૂ૫છકર્મોની પ્રવૃત્તિ આભૂમિમાં જ થાય છે. માટે તેને કર્મભૂમિ કહેવી એ યોગ્ય જ છે. ભાષ્યાનુસાર કર્મભૂમિની વ્યાખ્યા – આવ્યાખ્યા સુંદરતમવિશેષણોથી યુક્ત છે એટલે પ્રથમઅહીં વ્યાખ્યાનાસારભૂત ત્રણ મુજ નોંધેલ છે.પછી ભાષ્ય તથા સિધ્ધસેનીય ટીકાનુસાર તેનું વિશ્લેષિત વિવરણ કરેલું છે. [૧] તીર્થકરો અહીં ઉત્પન્ન થાય છે. જન્મે છે, મોક્ષે જાય છે. [૨] સકલ કર્મોનું નિર્વાણ-મોક્ષ પણ અહીં થાય છે. [૩] સિધ્ધ-મોક્ષ માટેનું ઉત્તમોત્તમ આચરણ પણ અહીં થાય છે. [૧]તીર્થકરો આભૂમિમાં ઉત્પન્ન થાય છે તેમ કહ્યું તે તીર્થકર કેવા? ભાષ્યકાર મહર્ષિ તેના વિશેષણો જણાવે છે. જે વાઃ યશોલક્ષ્મિના યોગથી તે ભગ-વત્ત છે. અથવા સમગ્ર ઐશ્વર્ય, સમગ્રરૂપ, સમગ્ર યશ, સમગ્ર શ્રી, સમગ્ર ધર્મ આદિના યોગે જે ભગ-વત્ત છે તેવા. પરમ-સાષિ: કૃતાર્થત્વને લીધે-સન્માર્ગઉપદેશવડેભવ્યજીવોને ઉધ્ધારનારા હોવાથી જે પરમ ઋષિ છે. તેવા તીર્થકર मोक्ष मार्गस्य ज्ञातारः कर्तारः उपदेषारः જ્ઞાતાર: મોક્ષ માર્ગ ને જાણતા એવા તીર્થંકર $ વર્તાર: -કર્તા એટલે મોક્ષમાર્ગના પ્રણેતા, -નિત્ય પ્રવચન અને અર્થ થકી મોક્ષમાર્ગને દેખાડનારા -સમ્યકત્વઆદિ માં છે તેવું તીર્થ, તેના પ્રણયન થકી અથવા તો ગણધરાદિને પ્રવાસન [દીક્ષા થકી તીર્થને કરનારા એવા તીર્થકર ૪ ૩પષ્ટ વાચાના યોગ થી ઉપદેશ આપતા હોઈ ઉપદેષ્ટા એવા તીર્થંકર મોક્ષમા કેવો? તીર્થંકર પરમાત્માનું વિશેષણ મુકયુમોક્ષમાર્ગના સાત-diઉદ્દે પણ આ મોક્ષમાર્ગ કયો? (૧) સમ્યગું દર્શન જ્ઞાન ચારિત્રત્મક એવો મોક્ષમાર્ગ - -મોક્ષના અંગભૂત હોવાથી આજ માર્ગને મોક્ષમાર્ગ જાણવો. (૨) અનેક જાતિ, અનેક ભેદ અને દુઃખાત્મક હોવાથી ગહન એવો જે નારકાદિ ચર્તુગતિ ભેદ રૂપ સંસાર તે સંસાર નો અન્ત લાવનારો એવો જે માર્ગ તે મોક્ષમાર્ગ અહીં આ વ્યાખ્યાની આવશ્યકતા શી? આવો પ્રશ્ન સહેજે ઉત્પન્ન થાય કેમકે-તીર્થકર આભૂમિમાં ઉત્પન્ન થાય છે. એવું કહેવા માત્રથીજ કર્મભૂમિ નો અર્થ સ્પષ્ટ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy