________________
૧૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – ખાણ, નદી, નિધિ, સમય વ્યવસ્થા ન હોય – શાશ્વત નદી, દૂહ, સરોવર આદિ સંભવતા નથી – ભરતાદિ ક્ષેત્રો, ઘર, ગામ, નગર, વગેરે ત્યાં ન હોય. - મનુષ્યનો જન્મ કે મરણપણ સંભવતા નથી.
– કોઈ વિધાઘર પોતાની સ્ત્રી સાથે નંદીફચ્છરદ્વીપ જાય ને કદાચ ત્યાં પત્ની સાથે સંભોગ કરે તો તે સ્ત્રીને ગર્ભ રહે નહીં.વગેરે વગેરે – અઢી દ્વીપની બહાર નહોય.
U [8] સંદર્ભ:
# આગમસંદર્ભ: माणुसुत्तरस्स णं पव्वयस्स अंतो मण्उआ * जीवा. प्र ३-उ.२ सू. १७८/३
૪ તત્વાર્થ સંદર્ભઃ અધ્યાયઃ૩- સૂત્રઃ ૧૬
જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ [૧] ક્ષેત્રલોક પ્રકાશ સર્ગઃ ૨૩ શ્લોક ૩ થી ૪૬, ૧૯૮ ૨૧૨ [૨] દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૭ ગ્લો ૪૦ [૩] લઘુ ક્ષેત્ર સમાસ ગાથા ૨૫૬ [૪] જંબૂદ્વીપ સમાસ – [૫] બૃહત્ ક્ષેત્ર સમાસ ગાથા ૫૮૨ થી ૫૮૭, પ્રક્રિર્ણક અધિકાર ગા. ૧ [9] પદ્ય
૧. માનુષોત્તર ભૂધરપૂર્વે, જન્મમરણો નરતણા
વિરતિ મુકિત આત્મતત્વે સાધ્ય સાધન છે ઘણાં ૨. માનુષોત્તર નામ ગિરિના પૂર્વભાગ લગીમર્ચ વસે -
પ્લેચ્છો આર્યો એમ ઉભય છે જાતિ એમની રૂડી દીસે U[10] નિષ્કર્ષ–સમગ્ર સૂત્રમાં મુખ્ય વાતતો મનુષ્યોના નિવાસ અંગેની છે. માનુષોત્તર પર્વત પૂર્વે મનુષ્યક્ષેત્રમાં તેનો વાસ છે તેમ જણાવે છે.
જયારે લોકસ્થિતિની ચિંતવના કરતા હોઈએ ત્યારે આ હકીકત વિચારણીય છે. સમગ્ર લોકમાં આ અઢી દ્વીપ અને તે અઢી દ્વીપમાં ૩પ ક્ષેત્રો અને પદ-અંતદ્વીપ માં જ મનુષ્યોનો વાસ કહયો છે. જો મનુષ્યગતિ-નામકર્મ બંધાય તેવી અપેક્ષા હોયતો જેમ આર્જવતામાર્દવતાદિ ગુણો જરૂરી છે. તેમ ધર્મધ્યાન કરતી વેળા- બાકીના લોકની મોક્ષની દ્રષ્ટિએ બિનઉપયોગીતા અને મનુષ્યલોકની ઉપયોગીતાનું પણ ચિંતવન કરવું.
જો કે ચિંતવના માત્રથી મનુષ્યની ગતિની પ્રાપ્તિ થઈ જતી નથી પણ સંસ્થાન વિચય ધ્યાન રૂપી ઘર્મ ધ્યાનમાં લક્ષ્ય જરૂર બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org