SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૪ ૧૧૫ લઘુ હિમવંત ની જેમ શિખરી પર્વત છે. જે ઐરાવત ક્ષેત્ર પાસે આવેલો છે. એ પર્વતમાં પણ બને છે. આ રીતે મગરે ફાડેલા મુખ જેવીદાઢાઓ છે. તે ચારે દાઢાઓમાં પણ આવા જ ૨૮ અંત દ્વિપો છે. આ રીતે હિમવંત પર્વતમાં ૨૮ અને શિખરી પર્વતમાં ૨૮કુલ ૫ અંતર્લીપો આ રીતે પર્વતની દાઢામાં રહેલા છે. એવા એ પ૬ અંત Áપો માં મનુષ્યોનો વાસ છે. [નોંધઃ આ અંતર્દીપનું વિશેષ વર્ણન સૂત્ર ૧માં આવે છે] પદઅંતર્લીપ અને ૩પ ક્ષેત્રમળી૯૧ સંખ્યા થાય છે જયારે અન્ય ગ્રન્થોમાં ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યોના વાસ કયો છે તેનું શું? – અહીં વિવફા ભેદ છે, પ૬ અંતર્લીપ તો બંને પક્ષોએ એક સમાન ગણતરી માં લીધેલા છે. પરંતુ ૩૫ ક્ષેત્રની ગણતરીમાં થીજ આ અંક ભેદ સર્જાયેલ છે. – કેમકે જયારે ૩૫ ક્ષેત્ર કહીએ ત્યારે ૭ મોટા ક્ષેત્રોની સીધીજ ગણના કરાય છે. તેથી ૭ ક્ષેત્ર ને આશ્રીને પૂર્વે કહયા મુજબ ૩પક્ષેત્રોની સંખ્યા મુકાય છે. – બાકીના ગ્રન્થો આ ગણતરી કર્મભૂમિ - અકર્મભૂમિને આધારે કહે છે. - ૧૫ કર્મભૂમિ અને ૩૦- અકર્મભૂમિ એ રીતે કુલ ૪૫ ક્ષેત્ર થયા-પરિણામે ૩૫ અને ૪૫ એ બે અંક વચ્ચે – ૧૦ની સંખ્યાનો તફાવત સર્જાયો. – આ વાત થોડી ખુલાસા સાથે જણાવે છે: ૧૫ કર્મભૂમિઃ ૫ ભરત, ૫ ઐરાવત, ૫ મહાવિદેહ ૩૦ અકર્મભૂમિ પર્હરણ્યવત, ૫રણ્યક, ૫- હેમવંત, પહરિ વર્ષ એમ કુલ ૨૦ તથા ૫– ઉત્તર કુરુ અને પ-દેવકુરુ મળીને કુલ ૩૦ એ પ્રમાણે ૪૫ ક્ષેત્રો થયા. – જયારે ૩૫ક્ષેત્રો શબ્દ બોલાય છે ત્યારે ભરતાદિ સાતે ક્ષેત્રોની જ પાંચ-પાંચની ગણતરી થાય છે. તેમાં દેવકુર-ઉત્તરકુરુ નો સમાવેશ મહાવિદેહ ક્ષેત્રમાં થઈ જતો હોવાથી તેની અલગ ગણના થતી નથી પરિણામે ૧૦ કુરુ ક્ષેત્ર અલગ નગણતા સંખ્યા ૩૫ આવે છે. વાસ્તવમાં અહીં કોઈ ભેદ નથી બંને ની ક્ષેત્ર ગણના સરખીજ જ છે. મનુષ્યોનો વાસ પણ બંને વિવક્ષામાં એક સમાન ક્ષેત્રોને આશ્રીનેજ કહેવાયો છે. જે મનુષ્ય અઢી દ્વીપમાં સર્વત્ર વસે છે તેવો અર્થ કઈ રીતે થશે? સામાન્યથી તો મનુષ્ય ઉકત ૧૦૧ ક્ષેત્રોમાં જ વસે છે. છતાં સંહરણ વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢી દ્વીપના તથા બે સમુદ્રના કોઈપણ ભાગમાં દેખાય છે. બૃહત્ સંગ્રહણીમાં પણ કહયું છે કે પ્રાયઃ બંને સમુદ્ર કે વર્ષઘર પર્વતોમાં કોઈપણ મનુષ્યનો જન્મ સંભવતો નથી. મરણ સંભવે છે. નોંધઃ [કોઈ અચ્છેરા રૂપ ઘટના ની અહીં વિવફા કરાઈ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy