SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દ્રવ્યના પણ નિવૃત્તિ-ઉપકરણ ભેદ છે. તથા ભાવ ના લબ્ધિ અને ઉપયોગ બે ભેદ છે. કોઈપણ જીવને છદ્મ સ્થાવસ્થામાં ક્ષયોપશમજ લબ્ધિ ગમે તેટલી હોય પણ બધાંનો ઉપયોગ એક સાથે થઈ શકતો નથી. જીવ “પર”નું લક્ષટાળી “ “સ્વ” પ્રતિ ઉપયોગને વાળ ત્યારે સમ્યજ્ઞાન થઈ શકે છે. જો “પર” તરફ જ ઉપયોગ રહેતો આત્મ કલ્યાણ થતું નથી વળી જો “સ્વ” તરફનો ઉપયોગ વધારશે તો ક્રમશઃ જીવાજીવ ની રાગ દશામાંથી વિરમતો એવો તે બારમા ગુણ સ્થાનને પાર કરતો વીતરાગ દશા પ્રાપ્ત કરશે માટે ઇન્દ્રિયોના આ ચારે ભેદ જાણ્યા પછી તે તે ઈન્દ્રિયોને ઉપયોગ થકી “સ્વ”માં કેન્દ્રિત કરી મોક્ષ માર્ગ સાધવો. S (અધ્યાયઃ ૨ સૂત્ર :૨૦) U [1]સૂત્રહેતુ:- સૂત્ર ૨:૧૫ માં કહયુ છે? તેનો નામ નિર્દેશ આ સૂત્ર કરે છે. 0 [2] સૂત્ર: મૂળ:- નરસનાવોના [3] સૂત્ર પૃથક- સ્પર્શ - રસને - પ્રાણ - વધુમ્ - શોત્રા U [4]સૂત્રસાર:- સ્પર્શન -રસના પ્રાણ -ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ નામની ઈન્દ્રિયો છે.] [5] શબ્દજ્ઞાનઃઅને સ્પર્શન-ઇન્દ્રિય-ત્વચા. રસન:-રસના-ઇન્દ્રિય-જીહવા-જીભ ધાબ:-થ્રાણ -ઈન્દ્રિય-નાક વધુ:- ચક્ષુ -ઈન્દ્રિય –આંખ કે નેત્ર શ્રોત્ર:-શ્રોત્ર-ઇન્દ્રિય-કાન [6] અનુવૃત્તિઃ- પર્વેન્દ્રિય સૂત્ર ૨૦૧૫ U [7] અભિનવટીકા -પૂર્વસૂત્રમાં “ઇન્દ્રિયો પાંચ છે' એમ વિધાન કર્યું. ત્યાર પછી તેના દ્રવ્ય અને ભાવ બે ભેદો જણાવ્યા. પરંતુ આ પાંચ ઇન્દ્રિયોનો કઈ છે? તે વાત જણાવેલ ન હતી. પ્રસ્તુત સૂત્ર પાંચ ઇન્દ્રિયો નો નામ-નિર્દેશ કરે છે. સ્પર્શન - રસન - ધ્રાણ – ચડ્યુસ અને શ્રોત્ર. આ પાંચે ઇન્દ્રિયો લબ્ધિ-નિવૃત્તિ-ઉપકરણ-ઉપયોગ એ ચારે પ્રકારે છે. અર્થાત આ ચાર-ચાર પ્રકારોની સમષ્ટિ એજ સ્પર્શનાદિ એક એક પૂર્ણ ઇન્દ્રિય છે. એ સમષ્ટિમાં માં જેટલી ન્યૂનતા તેટલીજ તે-તે ઇન્દ્રિયની અપૂર્ણતા સમજવી. જ સ્પર્શન- ઇન્દ્રિય-સ્પર્શન ઇન્દ્રિય એટલે ત્વચા કે ચામડી. - જે સ્પર્શ કરે સ્પર્શગુણનો વિષય કરે તેને સ્પર્શન કહે છે. – જેના દ્વારા સ્પર્શના પર્યાય ને જાણી શકાય તે સ્પર્શન કહેવાય છે. – આ કર્તુ કરણ વ્યાખ્યા સંસ્કૃતમાં આ રીતે છે ઍ શતિ ત નમ્, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy