________________
૮૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે અવગ્રહના પ્રકારઃ
(૧)વ્યંજનાવગ્રહ-ઉપકરણ ઇન્દ્રિયથકીતે ઇન્દ્રિયનાવિષયનુંવિષયઅનેવિષયના સંબંધથી થયેલું અતિ અવ્યકત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ.
સંક્ષેપમાં કહીએતો ઇન્દ્રિયનેવિષય પ્રાપ્ત પદાર્થનુંઅવ્યકતપણે જાણવુંતેવ્યંજનાવગ્રહ.
આ વ્યંજનાવગ્રહ ચાર ભેદે છે. સ્પર્શન-રસન-પ્રાણ-શ્રોત્ર આ ચાર ઇન્દ્રિયોને વ્યંજનાવગ્રહ હોય છે. જુઓ સૂત્રઃ૧-૧૮ અને ૧૯]
(૨)અર્થાવગ્રહઃ- ઇન્દ્રિયને વિષયપ્રાપ્ત પદાર્થનું સામાન્યપણે જાણવું તે અર્થાવગ્રહ.
કંઈક છે એવું જે જ્ઞાન” તે અર્થાવગ્રહ. શબ્દ-રૂપ આદિ વિષયનું સામાન્ય માત્ર અવ્યકતપણે જાણવું તે અર્થાવગ્રહ, આ અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠ મન, એમ છ ભેદ હોય છે. છે અર્થાવગ્રહના અન્ય નામ તથા રહસ્ય. [શ્રી નંદિસૂત્ર આગમમાં મતિજ્ઞાન [અભિનિબોધજ્ઞાન ના ભેદોના વિભાગમાં અર્થાવગ્રહના છ ભેદો બાદ આ પ્રકરણ છે]
पंच नामधिज्जा भवंति तं जहा ओगेण्हणया, उवधारणया, सवणया, अवलंबणया मेहा
(૧)અવગ્રહણતા -જેના દ્વારા શબ્દાદિપુદ્ગલો ગ્રહણ કરાયતેને અવગ્રહ કહેવાય પૂર્વે કહેલ વ્યંજનાવગ્રહ અન્તર્મુહૂર્ત સુધી હોયછે. તેના પહેલાં સમયમાં અવ્યકત ઝલક ગ્રહણ કરાય છે તે અવગ્રહતા.
(૨)ઉપધારણતા- વ્યંજનાવગ્રહના શેષ સમયમાં નવીન નવીન પુદ્ગલોને સમયે ગ્રહણ કરવા અને પહેલા ગ્રહણ કરેલાને ધારણ કરવા તે. કારણકે આ જ્ઞાન વ્યાપારને આગળ આગળના સમયો સાથે જોડે છે. અર્થાત અવ્યકતથી વ્યકતાભિમુખ થઈ જનાર અવગ્રહને ઉપધારણતા કહેવાય છે.
(૩)શ્રવણતા જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય થકી થાયતે શ્રવણતા કહેવાય છે. એક સમયમાં થનાર સામાન્ય અર્થાવગ્રહ બોધરૂપ પરિણામ શ્રવણતા કહેવાય છે.
(૪)અવલંબનતા:-અર્થનું ગ્રહણ કરવું તે. જે અવગ્રહ સામાન્યજ્ઞાનથી વિશેષાભિમુખ કરે તથા ઉત્તરવર્તી ઈહા-અવાય અને ઘારણા સુધી પહોંચાડનાર છે.
(૫)મેઘા- સામાન્ય અને વિશેષ બંનેને ગ્રહણ કરે છે. તેમજ ઘારણા સુધી પહોંચડાનાર છે.
(૨)ડ્યા- “કંઇક છે' એવોબોધથયાબાદ “તે શું છે એવી જિજ્ઞાસા થાય છે. “તે શું છે?” એવી જિજ્ઞાસાને સંતોષવાઅર્થાત “તેવસ્તુશું છે? એનો નિર્ણય કરવામાટે થતીવિચારણાતે ઈહા.
જેમ કે કોઈક ચીજનો સ્પર્શ થયો અને અવ્યકત જ્ઞાન થયું તે અવગ્રહ કહ્યો. ત્યાર પછી એવી વિચારણા કરે કે શું આ સ્પર્શ દોરડાનો છે કે સર્પનો? ના ના દોરડું હોવું જોઈએ, સાપ તો હુંફાડો મારે આવી વિચારણા તે ઈહા.
જ અવગ્રહ થયા પછી વિષયાર્થના એક સામાન્ય અંશના જ્ઞાન ઉપરથી બાકી રહેલા બીજા વિશેષ અંશના જ્ઞાન તરફની પ્રવૃત્તિ અર્થાતુ અમુક પ્રકારનો ચોક્કસ નિર્ણય જાણવાની ઇચ્છા પૂર્વકનો પ્રયત્ન તે ઈહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org