SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ અધ્યાયઃ ૧ સૂત્ર: ૧૫ - ઇહાના ઉહા-ચેષ્ટા-તર્ક-પરીક્ષા વિચારણા જિજ્ઞાસા એ પર્યાયવાચી શબ્દો છે. * નિશ્ચય વિશેષની જીજ્ઞાસા એટલે અપાય સુધી પહોંચવાની ઈચ્છા તે બહા. જ સ્પર્શન આધારે વિચારતા કહ્યું કે સામાન્ય સ્પર્શ તે અવગ્રહ અને તેના ઉત્તર ભેદ સંબંધિ વિચારણા તે ઈહા. * ઈહા છ પ્રકારે કહી શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસના-સ્પર્શન અને મન એટલે કે શ્રોત્રેઈન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય ઈહા વગેરે... જ નંદિસૂત્રમાં મતિજ્ઞાન અભિનિબોધિકજ્ઞાન) ના એકર્થિક પાંચ નામો કહ્યા. * तं जहा आभागणया, मग्गाणया, गवेसणया, चिंता विंमसा से तं ईहा. (૧)આભોગનતા-અર્થાવગ્રહ પછી સદ્દભુત અર્થની વિશેષ વિચારણા કરવી. (૨)માર્ગણતા - અન્યવ-વ્યતિરેક રૂપ ધર્મનું અન્વેષણ કરવું (૩) ગવેષણા - અસદ્ભુત ધર્મના ત્યાગ પૂર્વક અન્યધર્મનું અન્વેષણ કરવું. (૪)ચિંતાઃ- સદ્ભુત પદાર્થનું વારંવાર ચિંતન કરવું. (૫)વિર્મશ- કંઈક સ્પષ્ટ વિચાર કરવો. (૩)મપાય-હા પછી આ વસ્તુ અમુક જ છે તેવો જે નિર્ણય તે અપાય. જેમ કે આ કંઈક છે તે વિચારણા એ નવપ્રપછી આ દોરડું હશે કે સાપ હશે તેવી વિચારણા તે હા અને આ સાપનો સ્પર્શનથી દોરડાનો જ છે તેવો નિશ્ચય તે અવાય-અપાય. , સામાન્ય અને વિશેષ પ્રકારે અવગૃહીત થયેલા વિષય વિશેસારો કે ખોટો? યોગ્ય કે અયોગ્ય? એક રીતે કે બીજી રીતે? એ પ્રમાણે ગુણ અને દોષની વિચારણા પૂર્વક માનોઃ કરનાર અધ્યવસાય તે અપાય. શ્રી ભાષ્યકારના જણાવ્યા મુજબ અપગમ,અપનોદ,અપવ્યાધ, અપેત,અપગત, અપવિધ્ધ અને અપનુત્ત એ અપાયના પર્યાયવાચી શબ્દો છે. જ ગુણ-દોષ વિચારણા અંગે જણાવતા સિધ્ધસેનીય ટીકામાં લખ્યું કે સાધારણ ધર્મ તે ગુણ. જેમકે દોરડાનો ગુણ ધર્મતે દોરડાપણું છે જે ધર્મ ત્યાં સંભવતો નથી તે દોષ જેમ કે દોરડામાં દોરડાપણું છે પણ સાપપણાનો ધર્મ નથી તેથી સાપપણુ વિચારણા તે દોષ છે. આ ગુણ દોષ વિચારણા રૂપ અધ્યવાસય તે અપાય કહ્યું. અપતિ તિ અપનો ત્યાગ. અપાય આ જ પ્રત્યય થાય અને બીજો ન થાય તેવો નિર્ણય તે અપાય. બીજા અર્થમાં જણાવ્યું કે નિશ્ચયપૂર્વક જાણવું તેને અપાય કહે છે. # અવાય જ્ઞાન પણછ ભેદે પ્રરૂપેલું છે. શ્રોત્રેન્દ્રિય અવાય, ચક્ષુરિન્દ્રિય અવાય, પ્રાણેન્દ્રિય અવાય,જિલ્વેન્દ્રિય અવાય, સ્પર્શનેન્દ્રિય અવાય અને અનિન્દ્રિય (મન) અવાય. ૪ શ્રી નંદિસૂત્ર આગમમાં અવાય માટે પાંચ પર્યાયવાચી નામો જણાવતા લખ્યું કે ....पंच नामधिज्जा भवन्ति तं जहाआउट्टणया, पच्चाउट्टणया,अवाए बुद्धि विण्णए सेत्तं अवाए. (૧)આવર્તનતાઃ- ઈહાપછી નિશ્ચય બોધરૂપપરિણામથી પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કરવું અ. ૧/૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy