SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૫ (અધ્યાયઃ ૧ સૂત્ર :૧૫) 0 [1]સૂત્ર હેતુ - આ સૂત્ર મતિજ્ઞાનના ભેદો-જણાવે છે. બીજો શબ્દોમાં કહીએ તો જ્ઞાનપ્રાપ્તિનો ક્રમ પણ જણાવે છે. 0 [2] સૂત્રમૂળ પ્રવાહેદી પાયRUTI: 0 ત્રિપૃથક-ગવપ્રદ રૂદ્દા અપાય ધાર: [4]સૂત્રસાર-મિતિજ્ઞાન ના અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા એમ ચાર મુખ્ય ભેદો છે.] U [5]શબ્દજ્ઞાન :અવધૂહ-અવ્યકત જ્ઞાન, જેમ કે “આ કાંઈક છે.” હ:-વસ્તુ ધર્મની વિચારણા. અવગ્રહથી ગૃહિત વિષયનો વિશેષરૂપે નિશ્ચય અપાય-:- નિશ્ચય. ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિષયનો કંઈક અધિક નિશ્ચય - પરિણા:- ધારી રાખવું. અવાય રૂપ નિશ્ચય કર્યા પછી ઘારી રાખવું તે. U [6]અનુવૃત્તિ-મતિ:સ્કૃતિ:સંવિતામાં પરિવધિ થી મતિ: 0 [7]અભિનવટીકા ૪ આ પૂર્વેસૂત્રમાં મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે ઇન્દ્રિય અને મનએબેનિમિત્તો જણાવ્યા. આ સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિયો તથા મનએછના અવગ્રહ-હા-અવાય-ધારણા-એમચારચાર ભેદો છે. એટલે કુલ ચોવીસ ભેદો થશે. & સ્પર્શન અવગ્રહ, સ્પર્શન ઈહા, સ્પર્શન અપાય, સ્પર્શન ધારણા એ રીતે રસના વગેરે બધાના અવગ્રહાદિ ચારે ભેદો સમજવા. (૧)ગવપ્ર-ઇન્દ્રિય સાથે વિષયનો સંબંધથતા “કંઈકછે એવો અવ્યકતબોધ. જેમકેગાઢ અંધકારમાં કંઈકસ્પર્શથતાં આ કંઈકછે એમ જ્ઞાન થાય પણ “શું છે?” એ માલૂમ પડતું નથી. આવું જે અવ્યકત જ્ઞાન થયું તે અવગ્રહ કહેવાય. પોતપોતાનાવિષય પ્રમાણે ઈન્દ્રિયોડેવિષયોનુંઅવ્યકતરૂપેઆલોચન-જ્ઞાનતેઅવાહ. છે અવગ્રહના ગ્રહણ-આલોચન-અવધારણ એવા પર્યાયવાચી શબ્દોભાગ્યકારે જણાવેલા છે. વિપ્રદામ્ વદિ: સામાન્ય અર્થનું જ્ઞાન. જે જ્ઞાન સ્પર્શન વગેરે ઇન્દ્રિય થકી જન્મેલ વ્યંજનાવગ્રહથી અનંતર ક્ષણે થતું સામાન્ય નિર્દેશવાળું અર્થાત સ્વરૂપ કલ્પના અને નામાદિ કલ્પના રહિત વસ્તુને જણાવનારું જ્ઞાન તેને અવગ્રહ કહે છે. તેનો સંબંધ અવ્યકત કે અસ્કુટ અવધારણ સાથે છે. આ અવ્યકત જ્ઞાન કોને અને કેવી રીતે સમજવું તે જણાવતા સિધ્ધસેનીયટીકામાં લખે છે કે જે આત્મીય એટલે પોતાના વિષયમાં સ્પર્શનાદિ સાધનો વડે જે વિષયોનું જ્ઞાન છે તેનું અવ્યકત અવધારણ થવું અથવા મર્યાદા પૂર્વક થતું જ્ઞાન. *દિગમ્બર આસ્નાયમાં નવમહેરાવાય ધાર: સૂત્ર છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy