SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ SX તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ વિસૂત્રસાર-પાંચ શાનામાંનાપ્રથમબે[શાનમતિ અનેઋતપરોવ પ્રમાણ છે. [Bશબ્દશાનઃઆ પ્રારંભના બે, મતિ અને શ્રુત પોલમ-પરોક્ષ, ઈન્દ્રિય ની મદદથી થતા જ્ઞાન U [6]અનુવૃત્તિઃ- (૧)ત્રુિતાવધ મન:પર્યવનિ સાનમ્ (ર)તમાળે બંને સૂત્રોની અહીં અનુવૃત્તિ લેવાની છે. U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ વ્યાકરણ પધ્ધતિથી નાનકડું સૂત્ર મૂકી દીધું છે. પ્રથમ પદમૂકયું રાધે. બીજુંપદમૂક્યું પરોક્ષ. તેથી બાઘે એવા દ્વિવચનપદને લઈને પ્રથમના બે” એવો અર્થ લીધો. પરીણમ્ એટલે પરોક્ષ છે તેવો અર્થ થયો. માત્ર શાબ્દિ અર્થમાં કંઈ જ સ્પષ્ટતા થઈ શકતી નથી. વ્યાકરણનું જ્ઞાન હોય તે આ પદ્ધતિત સરળતાથી સમજી શકે. પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેવાથી જ અર્થ સ્પષ્ટતા થશે. જ આઘે જે આદિ (પ્રારંભ)માં હોય તેને બાદ કહેવાય આદ્ય શબ્દનું દ્વિવચનનું રૂપ માધે થયું માધે એટલે “પહેલાના બે એવો અર્થ ગ્રહણ કરવો. માધે પ્રથમનાબે. જ્ઞાનની વાત ચાલે છે માટે બંને જ્ઞાન લીધા. પ્રથમ બે મતિ અને શ્રુત છે માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે તેવો અર્થ કર્યો. બીજી વાત પ્રમાણની ચાલે છે. એટલે તે સૂત્રની અનુવૃત્તિ લેતા આ બંને જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે તેમ સમજી શકાશે. ઉપરોકત પાંચ જ્ઞાનમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એબે પ્રારંભના જ્ઞાનો પરોક્ષ પ્રમાણ છે તેવો અર્થ ગ્રહણ કર્યો. આ બંને જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેથી તેને પરોક્ષ પ્રમાણ ગણ્યા. # ન્યાયશાસ્ત્રમાં લિંગ-હેતુ તથા શબ્દાદિજન્ય જ્ઞાનને પરોક્ષ કહેવું છે પણ અહીં તે લક્ષણ સ્વીકારેલ નથી. અહીં તો આત્મસાપેક્ષતા જ મહત્વની ગણેલી છે તેથી આત્માની સહાય વિના ઇન્દ્રિય તથા મનની અપેક્ષા રાખતું જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન કહ્યું. # જે જ્ઞાનની ઉત્પત્તિમાં આત્માથી ભિન્ન પર વસ્તુની અપેક્ષા હોય તેને પરોક્ષ ગણ્યું છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઇન્દ્રિય અને મન કે જે આત્માથી ભિન્ન પુદ્ગલરૂપ છે તે નિમિત્ત હોય છે તેથી આ બંને જ્ઞાન પરોક્ષ ગણેલા છે. વિશેષતા એ છે કે મતિજ્ઞાનમાં તો ઇન્દ્રિય અને મન બંને નિમિત્ત છે. પણ શ્રુતજ્ઞાનમાં મનજ નિમિત્ત ભૂત છે. તેમ છતાં મતિજ્ઞાન પૂર્વક તે થતું હોવાથી ઉપચારથી તેમાં ઇન્દ્રિયો પણ નિમિત્તભૂત છે. જેમ કે પરોપદેશ સાંભળવામાં કાન (શ્રોત્રેન્દ્રિય) નિમિત્ત છે. અહીં સાંભળવું તે મતિનો વિષય છે પણ તે શબ્દોના વિષયમાં અથવા તેના અવલંબન પૂર્વક અર્થાન્તરવિષયમાંવિચાર કરવો તે શ્રુતજ્ઞાન છે. અહીંમુખ્યબાહ્ય નિમિત્તતોમનછે. પણ સાંભળ્યા વિના વિચારનથઈ શકે માટે ઉપચારથી શ્રવણ-ઇન્દ્રિય પણ નિમિત્ત કહી શકાય છે. $ નિમિત્તની અપેક્ષા રહેતી હોવાથી આ બંને જ્ઞાનોને પરોક્ષ પ્રમાણ કહ્યા છે. તે સાથે શાસ્ત્રીય રીતે બીજી પણ વાત મહત્વની છે તે અપાય અને સદ્દવ્ય પણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy