SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૧ ગાય છુટું પડવું કે દૂર થવું [નિશ્ચય અર્થ પણ કરે છે] સદ્દવ્ય-સમ્યક્ત્વના દળિયા પ આ અપાય અને સદ્વ્યપણું તે મતિજ્ઞાન છે. કે જે [સૂત્ર ૧:૧૪માં કહેવાશે તે મુજબ] ઇન્દ્રિય અને અનિન્દ્રિયનિમિત્તક છે. તેમજ શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાન પૂર્વક અને બીજાના ઉપદેશથી ઉત્પન્ન થતું હોવાથી પરોક્ષ જ છે. ♦ આવે:- આવી મવમ્ આઘું પહેલા હોય તેને આદ્ય કહેવાય. જેનાથી પછી કંઇક હોય પણ પૂર્વેકશુંન હોય તેને આવિ કહેવાય. આ િમાં હોવુંતે'' ાિવિાત સૂત્રથી પ્રત્યય લાગી ઞાદ્ય બનશે. આદ્ય ૬ આદ્ય ૬-દ્વિવચન રૂપ આઘે થયું. આમ વિશિષ્ટ કમથી વ્યવસ્થિત એવો આદ્યનોવ્યપદેશ જણાય છે. જેમ કે આ યતિ વિશિષ્ટ ક્રમમાં આદ્ય છે. તેમ અહીં પણ અમૂર્ત એવા જ્ઞાનોમાં ક્રમથી મતિ એ આદ્ય છે. વળી ક્રમના પ્રામાણ્યથી નિકટવર્તી ગ્રાહ્ય બને તે સન્નિવેશ ભાવથી મતિ સાથે શ્રુતનું જ ગ્રહણ બીજા આદ્ય તરીકે થશે માટે આઘે શબ્દથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને ગ્રહણ કરવા. વિ શબ્દ પ્રથમ-પ્રકાર-વ્યવસ્થા-સમીપતા-અવયવ વગેરે અનેક અર્થોમાં વપરાય છે. છતાં અહીં વિવક્ષાથી તેનો ‘‘પ્રથમ’’ અર્થ ગ્રાહ્ય છે. જેમ કે ગભરાવ્યો વળ: અહીં મૈં કારને પ્રથમ વર્ણ ગણ્યો.તેમ મતિ-શ્રુતને પ્રથમના બે ગણવા તેવો અર્થ થશે. * પરોક્ષ (૧)અક્ષાત્ અથવા અક્ષમ્ય: પર: કૃતિ પરોક્ષમ્ અહીં અક્ષ નો અર્થ આત્મા થાય છે. આત્માની સાક્ષાત્ મદદથી પર તે પરોક્ષ સમજવું. (૨)જૈન પરંપરાનુસાર પર અર્થાત્ બીજાની સહાયતા વડે અર્થાત્ આત્માનું જ્ઞાન થાય છે તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ એવા છે કે જે મુખ્યતયા ઈન્દ્રિયમન-ઉપદેશ વગેરે સિવાય થઇ શકતા નથી તેથી તે બંનેને પરોક્ષ માનેલા છે. કદાચ કોઇ એમ કહે કે જ્ઞાન તો જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાયછે. તેનો ખુલાસો કરતાં જણાવે કે મતિ શ્રુતાવરણના ક્ષયોપશમ થવા છતાં પણ ઈન્દ્રિય અને મન રૂપ એવા પરદ્વારો ના નિમિત્ત થકી જ જ્ઞાન થાય છે. પરોક્ષનો અર્થઅજ્ઞાન કે અનવબોધ નથી પણ પરાધીન જ્ઞાન એવો કર્યોછે. મતિ અને શ્રુત પરદ્વારોથી થતા જ્ઞાન હોવાથી પર આધીન છે અને પર આધીન હોવાથી તે બંને પરોક્ષ છે. સંક્ષેપમાં કહીએ તો જૈનદર્શન પ્રમાણના બે ભેદ ગણાવે છે. તેમાં પરોક્ષ પ્રમાણ શું? તે પ્રશ્નનો ઉત્તર છે કે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. કેટલીક શંકાઃ (૧)આ જ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગણ્યું? ૐ દાર્શનિક ગ્રંથો ન્યાય ગ્રંથોમાં ઇન્દ્રિયજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગણાવેલ છે. લોકમાં પણ ચક્ષુ આદિ ઇન્દ્રિય થકી બોધ અર્થાત્ મતિજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ ગણે છે. ‘‘નંદિસૂત્ર’’પ્રશ્નઃ૫૭માં પણ યિ પદ્મવું કહી તેને ઈન્દ્રિય પ્રત્યક્ષ કહ્યું છે. ♦ પ્રમાણનયના પરિચ્છેદ ઃ ૨ સૂત્રઃ ૪માં પણસાંવ્યવહારિક પ્રત્યક્ષ ગણ્યું. : અ. ૧/૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy