SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમ્યગ્દર્શન તથા જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ અતીવ સ્પષ્ટ બને છે. સમકિત પ્રાપ્તિ માટે કેવા પ્રયાસો કરવા આવશ્યક છે અથવાજીવકઈ કઈ સ્થિતિમાં સમ્યગ્દર્શનની હોઈ શકે તેના જ્ઞાન દ્વારા સ્વ-આત્મ વિકાસ માટેનું માર્ગદર્શન આ ચૌદે દ્વારોમાંથી મળી રહે છે. સામાન્ય અભ્યાસમાં આ દ્વારા કળાકુટવાળા કે તાત્વિક લાગશે પણ સમ્યગ્દર્શનાદિ પ્રાપ્તિના ઇચ્છુક આત્મા માટે આ સૂત્ર દ્વારા પોતે કઈ કક્ષાએ રહેવું કઈ રીતે રહેવું-કેવો પુરષાર્થ કરવો તેની સુંદર દોરવણી અપાઈ છે. જેમ કે અનંતાનુબંધી કષાય ને છોડવો, કૃષ્ણ નીલ કે કાપોત લેશ્યામાંથી મુકત થવું-ભવ્યકત્વ પકાવવું વગેરે મુમુક્ષુ આત્માઓ આ દ્વારા સમજી તેની ચિંતવના કરી વૈરાગ્ય માર્ગમાં આગળ વધવા આ જ્ઞાનનો ઉપયોગ કરી શકે. પ્રથમસૂત્રમાં મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી, બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવ્યુ. ત્રીજ સૂત્રમાં સમ્યગ્દર્શન પ્રાપ્તિનું સ્વરૂપદર્શાવ્યું તે મુજબ અધિગમને જણાવવા સૂત્રપ-૬૭-૮ ચારે મુકયા. અધિગમ કરવાના મુખ્ય સાધનો તરીકે નામાદિ નિક્ષેપા પૂર્વક તત્ત્વોનો અધિગમ આ ચૌદ દ્વારા થકી કરવા જણાવ્યું. આ રીતે સમ્યગ્દર્શન સંબંધી મુદ્દાની ઘણી બધી બાબતો ટૂંકમાં અહીં સમજાવી. એ રીતે સમ્યગ્દર્શનની વિચારણાનો વિભાગ મુખ્યતયાએ અહીં પૂર્ણ થાય છે. છતાં સૂત્ર ૬-૭-૮પ્રમાણ-નય અને નિર્દેશાદિતથા સત્યથપ્રરૂપણાદિ દ્વારોનો ઉપયોગ તો સમગ્ર ગ્રંથમાં રહેવાનો જ. કેમ કે તત્ત્વોના અધિગમમાં જ ગ્રંથ રોકાયેલો છે. મોક્ષમાર્ગે સમ્યગ્દર્શન નામક પ્રથમ અવયવની વિચારણા અહીં સમાપ્ત થઈ હવે મોક્ષમાર્ગના દ્વિતીય અવયવ સમ્યજ્ઞાન સંબંધિ વિચારણા આરંભ થાય છે. અલબત્ત આ જ્ઞાનવિચારણા દ્વારમાં પરોક્ષરૂપે “પ્રમાણ” ની ચર્ચા સમાવિષ્ટ છે. તે બાબત સૂત્રોના અભ્યાસથી સ્પષ્ટ બનતી જશે. 'S S S S T U | અધ્યાયઃ ૧ સૂત્રઃ ૯) D [1]સૂત્રહેતુ-આ સૂત્રજ્ઞાનના ભેદો અથવા પ્રકારો જણાવે છે. જિ સૂત્ર ૧:૬માં જણાવ્યા અનુસાર પ્રમાણના ભેદો રૂપ પણ છે.]. D [2]સૂત્રમૂળ-ત્રુિતાવવમન:પર્યાયવનિજ્ઞાનમ્ ડ્રિસૂત્ર પૃથક-મતિ - શ્રત - અર્વાર્ધ - મન:પર્યાય - વસ્ત્ર જ્ઞાનમ્ U [4]સૂત્રસાર:-મતિ શ્રત અવધિ મન:પર્યવ અને કેવળ આ પાંચ જ્ઞાન છે. U [5]શબ્દ જ્ઞાનનતિ-પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા જે જ્ઞાન થાય તે કુતરાક્શન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ તે. ગવિગ્રાઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના આત્મ શકિત વડે થતો રૂપી પદાર્થોનો બોધ તે મન:પર્યવેરા અઢી દ્વીપમાં રહેલાસંશિ પંચન્દ્રિયજીવોના મનના વિચારોનો-પર્યાયોનો બોધતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy