SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૯ U [6]અનુવૃત્તિ- આ સૂત્રમાં પૂર્વસૂત્રની અનુવૃત્તિ નથી. U [7]અભિનવટીકા-જ્ઞાન-જ્ઞાતિ જાણવું તે જ્ઞાન સામાન્ય અર્થમાં વસ્તુ સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન વિષયના બોધાત્મકચૈતન્ય અંશ માટે જ્ઞાન શબ્દ લોક પ્રસિધ્ધ છે. જ્ઞાન શબ્દનો અર્થ સુપ્રસિધ્ધ હોવાથી તેનું સીધું વિવેચન કરવાને બદલે તેના લોકમાં અપ્રસિધ્ધ અને શાસ્ત્ર પ્રસિધ્ધ નામો અને ભેદો બતાવવા પૂર્વક વિવેચન કરેલ છે. વળી સૂત્રમાં છેલ્લે જ્ઞાન શબ્દ મૂકીને મતિ-શ્રુતાદિ જોડવાનું સૂચવી દીધેલ છે. કારણ કે દ્વાનો કુયમા વં પ્રત્યે સંવંધ્યતે ન્યાય મુજબ દ્વન્દ સમાસમાં અંતે રહેલ એવું આ જ્ઞાન પદ મતિ વગેરે પાંચે શબ્દો સાથે જોડતા મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન એ પ્રમાણે સમજવું. (૧)મતિજ્ઞાનઃ-મતિ-આવરણકર્મનોલયોપશમથતાં ઈન્દ્રિય અને મનની સહાયતાથી થતું અર્થોનું મનન તે “મતિ” છે. * इन्द्रियैर्मनसा च यथास्वमर्थो भज्यते अनया, मननमात्रं वा मति: જ અહીં મન મત: એ અર્થ ભાવસાધન છે. * મનુને તિ: એ કતૃસાધન પણ સ્વતંત્રવિવક્ષામાં થઈ શકે. જ મતે અને એ કરણ સાધન પણ મતિ શબ્દ બની શકે છે. * ઇન્દ્રિય અને મને કરીને જણાય કે માનીએ તેને મતિજ્ઞાન કહે છે. સિધ્ધાંતમાં તેને આભિનિબોધિક પણ કહે છે. કેમ કે નિવૃધ્યતે તિ ગામિનિવોધિ (સન્મુખ રહેલ નિયત પદાર્થને જણાવે તે મતિજ્ઞાન) - જુઓ કર્મગ્રંથ-૧ ગાથા-૪ વિવેચન. * જ્ઞાન શબ્દ સામાન્યનો વાચક છે. મતિ શબ્દ વિશેષનો વાચક છે. મીતિક્વાસી જ્ઞાન વ-તિ એવું આ જ્ઞાન તે મતિજ્ઞાન. જ મતિ જ્ઞાનના આવરણ આડા આવે ત્યારે કંઈ મતિ સૂઝતી નથી. આવા મતિઆવરણનો ક્ષય કે ઉપશમ થતાં જે પ્રગટ થાય છે, તે મતિજ્ઞાન. (૨)શ્રુતજ્ઞાન-શ્રુત: કૃતં-સાંભળવું તે શ્રુત શબ્દાર્થનું સંવેદન.કૃત વત જ્ઞાન - શ્રત એવું તે જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન. * સાંભળવા દ્વારા જે જણાય તે શ્રુતજ્ઞાન. * શ્રુત શબ્દ કર્મસાધન ગણતાં-શ્રુતાવરણ કર્મનો ક્ષયોપશમ થવાથી જેસંભળાયતે શ્રુત. * કર્તુ સાધનમાં શ્રુત પરિણત આત્મા જ શ્રુત ગણેલ છે. કરણ વિવામાં જેના દ્વારા સંભળાય તે મૃત. * ભાવ સાધનમાં શ્રવણ ક્રિયા શ્રુત છે. * કર્મથ ગાથાનું વિવેચનઃ-શ્રુતજ્ઞાન આડે જેઆવરણો આવે તેના વડે શ્રુત આવડતું નથી. આવા શ્રુત જ્ઞાનાવરણીય કર્મોનાલય અથવા ઉપશમ દ્વારા જે પ્રગટ થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. જ શબ્દો અને પુસ્તકો બોધરૂપ ભાવકૃતનું કારણ હોવાથી તે દ્રવ્યશ્રુત છે. (૩)અવધિજ્ઞાન - અવધિ એટલે મર્યાદા. અવધિ એવું તે જ્ઞાન તે અવધિ જ્ઞાન. અમૂર્તિને છોડી સાક્ષાત્ મૂર્ત વિષયમાં ઇન્દ્રિયોની અપેક્ષા રહિત મનના પ્રણિધાનપૂર્વક થતું જ્ઞાન તે અવધિજ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy