________________
તત્વાર્થસૂત્ર પ્રધટીકા તેની પ્રમાણિત્તા દર્શાવી છે. અન્ય દર્શનકારે જ્ઞાનને બદલે સનિષ અને ઈદ્રિય વગેરેને પ્રમાણ માને છે તે માન્યતાને નિવારણ સાથે જ્ઞાન જ પ્રમાણ રૂપ છે તેમ આ સૂત્ર સાબિત કરે છે. . કેટલીક શંકાઓ :
(૧) જે જ્ઞાનને પ્રમાણુ માનશે તે ફળ શું થશે?
અહી એવી શંકા કરે છે કે ફળ અર્થાધિગમ અર્થાતજ્ઞાન છે. જે જ્ઞાન જ પ્રમાણરૂપ ગણશે તે ફળ શું થશે? માટે (ઇન્દ્રિય અને પ્રદાર્થના સંબંધ રૂ૫) સન્નિકર્ષ અથવા ઈદ્રિય ને જ પ્રમાણ માનવાથી જ્ઞાન એ પ્રમાણનું ફળ બનશે.
સમાધાન – જે સન્નિકર્ષને પ્રમાણ અને અર્થાધિગમને ફળ ગણાવશે તે સન્નિકર્ષતે બે વસ્તુમાં રહે છે. ઇન્દ્રિય અને ધડે વગેરે પદાર્થમાં. તેથી ફળ પણ બે વસ્તુમાં રહેવું જોઈશે. જો તેમ સ્વીકારશે તે ઘડા વગેરેને પણ જ્ઞાન થવા માંડશે. ' વળી સનિકષને જ પ્રમાણ માનતા સૂક્ષ્મ અર્થનું, વ્યવહિત અર્થનું (ભૂતકાળમાં કહેવાએલ રામ-રાવણ વગેરેનું અને વિપ્રકૃષ્ટ અર્થનું (મેરુ વગેરેનું) ગ્રહણ થઈ શકશે નહીં કેમ કે ઇન્દ્રિયની સાથે આ પદાર્થોનો સંબંધ થતો નથી. વળી આ પદાર્થો પ્રત્યક્ષ ન થવાથી કઈ સર્વજ્ઞ પણ બનશે નહીં.
જ્ઞાનને પ્રમાણ માનવા માત્રથી ફળને અભાવ થતું નથી. અર્થને જ્ઞાનથી આત્મામાં એક પ્રકારની પ્રીતિ ઉત્પન્ન થાય છે અથવા અજ્ઞાનને નાશ થાય છે તે જ જ્ઞાનનું ફળ છે. રાગદ્વેષને અભાવ થ તે પણ પ્રમાણ-જ્ઞાનનું ફળ છે.
(૨) પ્રમેયને પ્રમાણ વડે જાણશે તે પ્રમાણને શેના વડે જાણશે ? અહી એવી શંકા કરે છે કે પ્રમેય (પદાર્થ) પ્રમાણ વડે જાણ લીધા પણ પ્રમાણને જાણવા માટે પણ અન્ય પ્રમાણુ આવશ્યક બનશે.
-૦- સમાધાન :- પ્રમાણ દીવાની માફક સ્વ–પર પ્રકાશક છે. જેમ દી પ્રકાશે ત્યારે ઘડે–વસ્ત્ર આદિ અન્ય પદાર્થોને પ્રકાશીત કરે. છે પણ દીવાને જેવા માટે કંઈ બીજા પ્રકાશની જરૂર પડતી નથી. દીવાના પ્રકાશમાં દીવો પણ જણાય જ છે. તેમ પ્રમાણને જાણવા માટે અન્ય કઈ પ્રમાણની આવશ્યક્તા નથી તે સ્વ–પર પ્રકાશક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org