________________
૮૬
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા ચારી છે. એક વ્યક્તિમાં સાથે જોવા મળે છે. તે પછી તે બંનેને એક જ કેમ નથી ગણતા?
૦ મતિ અને શ્રત બંને મન અને ઈદ્રિયોની સહાયથી થતા હોવા છતાં કૃતમાં શબ્દ અને અર્થનું પર્યાલચન હોય છે. મતિજ્ઞાનમાં તે હેતું નથી.
૦ મતિ જ્ઞાન વર્તમાનકાળના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે.
૦ મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે. તેથી શ્રુતજ્ઞાન વિશેષ બેધદાયી છે.
૦ શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના ન જ થાય. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના પણ હોઈ શકે?
૦ વિષય એક હોવાથી બંને જ્ઞાન એક ગણી શકાય નહીં. કેમ કે ઘડાનું દર્શન અને સ્પર્શન બંને ઘડાનું જ જ્ઞાન કરાવતા હોવા છતાં જેમ ભિન્ન છે તેમ મતિ અને શ્રતને વિષય સમાન હોવા છતાં જાણ વાના પ્રકાર જુદાજુદા છે માટે બને જ્ઞાન ભિન્ન છે. નોંધ :- સૂત્ર: ર૦માં ફરી મતિ-શ્રતની ભિન્નતાની વિશેષ ચર્ચા આવવાની જ છે તે નોંધ લેવી.
(૨) જ્ઞાનં એકવચનમાં કેમ?
પૂ. હરીભદ્રસૂરિજી કૃત ટીકામાં જણાવે છે કે મતિ વગેરે પ્રત્યેક અલગ જ્ઞાન છે. બધા જ્ઞાન એક જ નથી. એકવચન નિદેશથી ઓઘ થકી બધાનું સમાન જાતીયત્વ જણાવે છે. તેથી બધાં જ (મતિ વગેરે) વિષયના અવધિમાં જ્ઞાન જ છે તે સૂરને સમુદાયઅર્થ નીકળે છે.
(૩) સમ્યગ્દર્શન માફક સમ્યજ્ઞાનનું લક્ષણ કેમ નહીં?
અહીં સૂત્રામાં “જ્ઞાન” શબ્દ મુકે છે. સમ્યગૂ જ્ઞાન નહીં. તાર્કિક ખુલાસે કરતા પંડિત સુખલાલજી જણાવે છે કે જીવ સમ્યગ્ન દર્શન રહિત હોય છે પણ જ્ઞાન હિત ક્યારેય હેતું નથી. કેઈને કઈ જ્ઞાન તેનામાં અવશ્ય હોવાનું એ જ જ્ઞાનમાં સમ્યક્ત્વને આવિર્ભાવ થતા સમ્યગ જ્ઞાન બની જવાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org