________________
અધ્યાય–૧ સૂત્ર-૯
० बाह्येनाभ्यन्तरेण च तपसा यदर्थमर्थिनो मार्ग केवन्ते-सेवन्ते તવસ્ત્ર. અથીજન જેને માટે બાહ્ય અને અભ્યન્તર તપ દ્વારા માર્ગનું કેવન અર્થાત્ સેવન કરે છે. તે કેવળજ્ઞાન કહેવાય છે.
| મતિ આદિ જ્ઞાનના કમનું રહસ્ય:(૧) મતિ શબ્દ ધિ સંજ્ઞક છે–અપાક્ષર છે અને મતિજ્ઞાન અ૫ વિષયક છે માટે તેનું ગ્રહણ સર્વ પ્રથમ કર્યું છે.
૨) શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે. વળી પક્ષથી જ્ઞાનના માત્ર બે ભેદ જ છે માટે શ્રતનું ગ્રહણ મતિપૂર્વક કર્યું છે. વળી મતિ અને શ્રુત બને સહભાવી હોવાથી તેને પાસે પાસે નિર્દેશ કર્યો છે,
(૩) પક્ષજ્ઞાન અન્ય સાધનની અપેક્ષા રાખે છે. તેમજ દરેક જીવમાં અપાશે પણ તેનું અસ્તિત્વ રહેતું હાઈ પ્રથમ નિર્દેશ કર્યો જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન મન અને ઈન્દ્રિયની સહાયથી રહિત હોય તેને પછી નિર્દેશ કર્યો. આવા પ્રત્યક્ષજ્ઞાનના ત્રણ ભેદોમાં સર્વ પ્રથમ અવધિ જ્ઞાન લીધું કેમ કે ત્રણેમાં તે જ્ઞાન સૌથી અલ્પ વિશુદ્ધિવાળું છે.
(૪) અવધિ જ્ઞાન પછી અને કેવળજ્ઞાન પૂર્વે મન પર્યાવજ્ઞાન ગ્રહણ કર્યું અવધિજ્ઞાનથી તે વિશુદ્ધતર છે. સંયમી આત્માઓને જ ઉત્પન્ન થાય છે. વળી આ જ્ઞાનની ઉત્પતિ પછી નિયમાં કેવળજ્ઞાન થાય જ છે. તેથી ચોથા ક્રમે મન પર્યવ જ્ઞાનનું ગ્રહણ કરેલ છે,
કેવળજ્ઞાનની નજીક મન પર્યવ જ્ઞાન ગ્રહણ કરવાનું એક કારણ એ પણ છે કે તે બંને જ્ઞાનમાં યથાખ્યાત ચારિત્ર સમાન અધિકારણ છે. પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સૌથી છેલ્લે થાય છે. માટે તેને અંતે લેવાનું હોવાથી આ જ્ઞાન તે પૂર્વે મૂક્યું.
(૫) કેવળજ્ઞાનની પ્રાપ્તિ સૌથી અંતે થતી હોવાથી તેનું ગ્રહણ છેલ્લે એટલે કે પાંચમે કર્યું વળી કેવળજ્ઞાનથી મોટું બીજું કઈ જ્ઞાન નથી. આ જ્ઞાન પ્રાપ્તિ પછી બીજા કોઈ જ જ્ઞાનની આવશ્યક્તા રહેતી નથી. વળી કેવળજ્ઞાન પ્રાપ્તિ બાદ નિર્વાણ થવાનું જ છે માટે તેને અંતિમ સ્થાને મૂકયું.
વિવિધ શંકાઓ:(૧) મતિ-શ્રત એક કેમ નહી? મતિ અને શ્રત બંને સહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org