SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ તત્વાર્થ સૂત્ર પ્રથમ ૦ મર્યાદા મુજબ રૂપ દ્રવ્યનું જાણવું તે અવધિજ્ઞાન. ૦ ઉવ પૂર્વક ધા ધાતુથી કર્મ આદિ સાધનમાં અવધિ શબ્દ બને છે. લવ શબ્દ અધ: વાવી છે. તે મુજબ અવધિજ્ઞાન નીચેની તરફ ઘણા પદાર્થોને વિષય ગ્રહણ કરે છે. અવધિ શબ્દ મર્યાદાને પણ સૂચક છે. અર્થાત્ દ્રવ્ય અને ક્ષેત્ર વગેરેની મર્યાદાથી સીમીત એવું જ્ઞાન તે અવધિજ્ઞાન છે. ૦ અવધિજ્ઞાન આડા આવરણને લીધે અવધિજ્ઞાન થતું નથી. તેથી આવા અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ઉપશમથી પ્રગટ થાય તેને અવધિજ્ઞાન કહે છે. (૪) મન: પર્યાવજ્ઞાન :- મનને પર્યાય તે મન: પર્યાય. મનઃ પર્યાય એવું જે જ્ઞાન તે મન: પર્યાવજ્ઞાન. ૦ મનચિંતિત અર્થનું જાણવું તે મન: પર્યવજ્ઞાન. ૦ મનોગત અર્થને મન કહે છે. મનમાં રહેવાને કારણે તે અર્થ મન કહેવાય છે. મને વિચારને વિષય વિશુદ્ધિવશ જાણી લેવો તે મનઃ પર્યવ છે. છે બીજાના મનોગત અર્થને મન કહે છે. સંબંધથી તેનું પરિગમન કરવાવાળા જ્ઞાનને મન:પર્યવ કહેવાય છે. ૦ મનઃપર્યવ જ્ઞાનનાં આવરણ આડા આવતા મન:પર્યવજ્ઞાન ઉપજતું નથી. આવા મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતાં જે જ્ઞાન ઉત્પન્ન થાય તે મન:પર્યવ જ્ઞાન. (૫) કેવળજ્ઞાન :- કેવળ એટલે એક. સ્વભેદ રહિત અથવા શુદ્ધ, સઘળા આવરણથી રહિત, સંપૂર્ણ કે અસાધારણ, સર્વ દ્રવ્યભાવને જણાવનારું જ્ઞાન તે કેવળજ્ઞાન. . કેવળ અખંડપણે કાલેકનું તથા રૂપી અરૂપી સર્વ દ્રવ્યનું અને સર્વ જીવાજીવના સર્વ પર્યાનું સમકાળે જાણવું તે કેવળજ્ઞાન. . કેવળજ્ઞાન આડે આવતા આવરણને કારણે બંધાયેલા કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં ઉપજતું જ્ઞાન કે જે સર્વ આવરણથી રહિત છે. શુદ્ધ અને સંપૂર્ણ છે. મતિજ્ઞાના િરહિત અસાધારણ છે. સર્વ દ્રવ્ય-પર્યાનો બોધ કરાવનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy