________________
અધ્યાય-૧ સૂત્ર|_મનુતે ગત મત એ કહૂંસાધન પણ સ્વતંત્રવિવક્ષામાં થઈ શકે. T મતે અને એ કરણ સાધન પણ મતિ શબ્દ બની શકે છે.
ઈદ્રિય અને મને કરીને જણાય કે માનીએ તેને મતિજ્ઞાન કહે છે. સિદ્ધાંતમાં તેને આભિનિબેધિક પણ કહે છે. કેમકે મિનિયુધ્ધ તિ મિનિવધિ. (સમુખ રહેલ નિયત પદાર્થને જણાવે તે મતિજ્ઞાન)–જુઓ કર્મગ્રંથ-૧ ગાથા– વિવેચન.
] જ્ઞાન શબ્દ સામાન્ય વાચક છે. મતિ શબ્દ વિશેષ વાચક છે. મતિ થાત જ્ઞાન -મતિ એવું આ જ્ઞાન તે મતિજ્ઞાન.
| મતિ જ્ઞાનના આવરણ આડા આવે ત્યારે કંઈ મતિ સૂઝતી નથી. આવા મતિ-આવરણને ક્ષય કે ઉપશમ થતાં જે પ્રગટ થાય છે, તે મતિજ્ઞાન.
(૨) શ્રુતજ્ઞાન :- | ઋતિઃ શ્રુતં-સાંભળવું તે મૃત. શબ્દઅર્થનું સંવેદન. શ્રત રતા જ્ઞાનં -શ્રુત એવું તે જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન.
| સાંભળવા દ્વારા જે જણાય તે શ્રુતજ્ઞાન. || શ્રુત શબ્દ કર્મસાધન ગણતાંશ્રુતાવરણ કમને ક્ષપશમ થવાથી જે સંભળાય તે શ્રત.
| તું સાધનમાં શ્રુત પરિણત આત્મા જ શ્રુત ગણેલ છે. T કરણ વિવક્ષામાં જેના દ્વારા સંભળાય તે શુત.
I ભાવ સાધનમાં શ્રવણ ક્રિયા શ્રુત છે. | | કર્મગ્રંથ ગાથા ૯ નું વિવેચનઃ-શ્રુતજ્ઞાન આડે જે આવરણે આવે તેના વડે શ્રુત આવડતું નથી. આવા શ્રુત જ્ઞાનાવરણીય કર્મોના ક્ષય અથવા ઉપશમ દ્વારા જે પ્રગટ થાય તેને શ્રુતજ્ઞાન કહે છે.
|| શબ્દો અને પુસ્તકે બેધરૂપ ભાવકૃતનું કારણ હોવાથી તે દ્રવ્ય કૃત છે.
(૩) અવધિજ્ઞાન - અવધિ એટલે મર્યાદા.
અમૂતને છોડીને સાક્ષાત્ મૂત વિષયમાં ઇન્દ્રિયની અપેક્ષા રહિત મનના પ્રણિધાનપૂર્વક થતું જ્ઞાન તે અવધિજ્ઞાન.
અવધિ એવું તે જ્ઞાન તે અવધિ જ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org