________________
-
અધ્યાય-૧ સૂત્ર-૮
જ્યારે “સંખ્યા” દ્વારા તેના પ્રત્યેક પ્રકારની સંખ્યાની ગણતરી થાય છે. જેમકે ઉપશમ સમ્યગદષ્ટિ આટલા. ક્ષાચિક સમ્યગ્ર દષ્ટિ આટલા વગેરે પેટા ભેદની ગણતરી પણ સંખ્યામાં થાય છે. ટૂંકમાં કહીએ તે પ્રકારની ગણના વિધાન”માં થાય છે અને પેટા ભેદની ગણના સંખ્યામાં થાય છે. ૦ ક્ષેત્ર અને અધિકરણમાં તફાવત :
“અધિકરણ” (આધાર)થી થોડી જગ્યા સૂચવાય છે તેથી તે વ્યાપ્ય છે. “ક્ષેત્ર શબ્દ વ્યાપક હોવાથી અધિક જગ્યાને સૂચવે છે. ૦ કાળ અને સ્થિતિને તફાવત :
“સ્થિતિ” શબ્દ વ્યાપ્ય છે. તે કેટલાંક પદાર્થોની કાળમર્યાદા બતાવે છે. “કાળ” શબ્દ વ્યાપક છે. તે બધા પદાર્થોની મર્યાદા દર્શાવે છે. ૦ ભાવ શબ્દ ન્યાસ (સૂત્ર : ૫) માં છે છતાં અહી અલગ ગ્રહણ કેમ?
ન્યાસમાં “ભાવને અર્થ વર્તમાન અવસ્થા લીધે છે. જેમકે સિદ્ધ અવસ્થામાં ભાવ તીર્થક૨૫ણું ગયું પણ ભવિષ્યમાં આ અવસ્થા થવાની હોય તે “દ્રવ્ય નિક્ષેપ ગણે છે. જ્યારે આ સૂત્ર ભાવને અર્થ ઔપશમિક વગેરે ભાવે માટે ગ્રહણ કરેલ છે. બંને સ્થાને ભાવ શબ્દનું જુદું જુદું પ્રજન છે. ૦ ક્ષેત્ર અને સ્પર્શનમાં તફાવત :
ક્ષેત્ર શબ્દ અધિકરણથી વિશેષતા સૂચવે છે. તે પણ તે એક દેશને વિષય કરે છે અને સ્પર્શન શબ્દ સર્વ દેશને વિષય કરે છે. જેમકે કઈ પૂછે કે “રાજા કયાં રહે છે?” ઉત્તર આવશે “અમુક નગરમાં રહે છે.” તેથી રાજાનો નિવાસ સંપૂર્ણ નગરમાં નથી હોતા પણ નગરના એક દેશમાં હોય છે. છે. તેને ક્ષેત્ર કહે છે. પણ “તેલ ક્યાં રહે છે?” એમ પૂછતા તેલ તલમાં કે મગફળીમાં રહે છે તેમ ઉત્તર મળશે. અહીં સર્વત્ર તેલ રહેવાના કારણે તલ કે મગફળી એ તેલનું સ્પર્શન છે.
વળી બીજી રીતે તફાવત જોતા “ક્ષેગ” એ વર્તમાનકાળને વિષય છે. જ્યારે “સ્પર્શન” ત્રિકાળ ગોચર વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org