________________
અધ્યાય-૧ સૂત્ર– ૮
૭૩ સમદન મોહનીયને ઉદય પણ હોય છે. તેથી તે બંને સમ્યગ્દર્શની જ છે.
ક્ષાયિક સમકિતીને ૭ પ્રકૃતિને ક્ષય થો હેચ છે માત્ર અપાય (મતિજ્ઞાન) હોય છે. તેથી તે સમ્યગ્દષ્ટિ ગણ્યા છે. કેવળીને તે અપાય પણ નથી તેથી સગિ અગિ કેવળી અને સિદ્ધ સમ્યગદષ્ટિ જ ગણેલા છે.
(૫) કાકી:– વિવક્ષિત તત્વ કેટલા કાળ સુધી રહેશે તેની વિચારણા કરવી.
કઈ પણ ક્ષેત્રમાં રહેલા પદાર્થની સમય મર્યાદા નક્કી કરવી તે કાળ.
સભ્યશનની ચર્ચા કાળ દ્વારના આધારે કરતાં પ્રશ્ન કર્યો કે તે કેટલે કાળ રહે છે? કાળની પરીક્ષા કે પ્રરૂપણ બે પ્રકારે થાય છે. એક જીવની અપેક્ષાએ—-અને અનેક જીવની અપેક્ષાએ.
એક જીવની અપેક્ષાએ સમ્યગ્દર્શનને જઘન્યકાળ અત્તમુહૂર્ત માત્ર છે અને ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરોપમ કરતાં કંઈક વધારે છે. અર્થાત્ કઈ એક જીવને સમ્યગદર્શન ઉત્પન્ન થયા પછી ઓછામાં ઓછું અત્તમુહૂર્ત સુધી અવશ્ય રહે છે ત્યાર પછી છૂટી પણ જઈ શકે છે. વધુમાં વધુ ૬૬ સાગરોપમ કરતાં કંઈક અધિક કાળ સુધી રહે છે પછી અવશ્ય છૂટી જાય છે.
અનેક છેવાની અપેક્ષાએ તે સમ્યગદર્શનને સંપૂર્ણ કાળ છે. અર્થાત્ કોઈપણ સમય એ છે નહીં–હતો નહીં કે હશે નહીં કે જ્યારે એક પણ જીવને સમ્યગ્દર્શન હોય નહીં કે થાય નહીં.
(૬) અંતર:– વિવક્ષિત તત્વની પ્રાપ્તિ થયા બાદ તેને વિચગ થાય તે કેટલા કાળ સુધી વિગ રહે? તેનું જ્ઞાન આ દ્વાર વડે થાય છે.
અંતર શબ્દના અનેક અર્થો નીકળે છે. અંતરને અર્થ દ્રિઅન્ય-મધ્ય-સમીપ–વિશેષતા–બહાર–વિરહ વગેરે થાય છે તેમાં અહીં વિરહ અથવા વિગ અર્થ ગ્રહણ કર્યો છે.
સમ્યગ્દર્શન નો વિરહકાળ કેટલો છે? એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવર્તન [સિદ્ધ સેનીય ટીકામાં જણાવ્યા મુજબ કંઈક ન્યુન અર્ધપુદગલ પરાવર્તન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org