________________
૭૧
અધ્યાય-૧ સૂત્ર-૮
જો કે સત્ શબ્દને સાધુ-અર્ચિત–પ્રશસ્ત-સત્ય-અસ્તિત્વ એ રીતે કેટલાંયે અર્થો છે. તેમાં અહીં સંત ને અર્થ અસ્તિત્વ સ્વીકાર્યો છે.
સમ્યગ્દશન જગતમાં વિદ્યમાન છે. તે ચેતનને ગુણ હોવાથી ચેતન (જીવ)માં જ વિદ્યમાન છે. અજીવ (જડ)માં તે નથી. છતાં દરેક જીવ સમ્યગ્દર્શન યુક્ત હોય તેવું બનતું નથી. પણ સિદ્ધના છે કે કેવળી ભગવંતેમાં નિયમા ક્ષાયિક દર્શન વિદ્યમાન હોય છે. બીજા જીવમાં હોય અને ન પણ હોય.
[ગતિ-ઈન્દ્રિય વગેરે ૧૩ ૧૪ અનુગ દ્વારા થકી તેની વિચારણ આગળ કરી છે. આ અનુગ દ્વારોને જીવસમાસ તથા માર્ગણ કહી છે.] (૨) સંખ્યા – વિવક્ષિત વસ્તુની અથવા તેના માલિકની સંખ્યા કેટલી છે? તેની વિચારણું આ દ્વાર થકી થાય છે.
જેને સદભાવ-વિદ્યમાનતા પ્રસિદ્ધ છે તે જ પદાર્થની સંખ્યાતઅસંખ્યાત કે અનંત રૂપે ગણના કરાય છે. માટે જ સત્ પછી સંખ્યાનું ગ્રહણ કરાયું છે.
સમ્યગ્દર્શનની દષ્ટિએ વિચારે તે સમ્યગ્દર્શન અસંખ્યાત છે. પણ સમ્યગ્દષ્ટિ અનંત છે. કેમ કે ચારે ગતિમાં દ્રવ્ય રૂપ સમ્યગ્દર્શન વાળા છ અસંખ્યાત હોઈ શકે છે. જ્યારે છટ્વસ્થ અને સગીતથા–અાગી કેવળી એ ભવસ્થ ક્ષારિક સમ્યગ દષ્ટિ જીવો તથા સિદ્ધસ્થ ક્ષાયિક સમ્યદષ્ટિ જ મળી અનંતા છે. (૩) ક્ષેત્ર - વિક્ષિત તત્તવ અથવા તેનો સ્વામી કેટલા ક્ષેત્રમાં હોઈ શકે તે દ્વાર વડે નકકી કરવું. જ્યાં જીવાદિ દ્રવ્ય વસે છે તે ક્ષેત્ર.] - જે વસ્તુની સંખ્યાનું જ્ઞાન થઈ ગયું તેને ઉપરનીચે આદી રૂપથી વર્તમાનમાં કેટલે નિવાસ છે તે જાણવા માટે સંખ્યા પછી ત્રીજું ક્ષેત્રનું ગ્રહણ કર્યું છે.
સમ્યગ્દર્શનમાં આ દ્વારને ઘટાવીએ તો લોકના અસંખ્યાતમાં સમ્યગ દર્શન હોય છે. અર્થાત્ કાકાશના અસંખ્યાતમાં ભાગે આકાશ
પણ ભાષ્યમાં ૧૩ દ્વાર છે. કર્મગ્રંથ મુજબ ૧૪ માર્ગનું દ્વારો છે તે તફાવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org