________________
ઉત્પન્ન થયા અનુભવ અને જે વિશ્વાસ
તત્વાર્થસૂત્ર પ્રધટીકા સમરણ પ્રમાણમાં પૂર્વે અનુભવેલી વસ્તુને ખ્યાલ આવે છે. જેમ કે તે તીર્થંકર પ્રતિમા આ છે એવું જે જ્ઞાન તે સ્મરણનું સ્વરૂપ છે.
(૨) પ્રત્યભિજ્ઞાન - કેઈપણ પ્રમાણે દ્વારા જે વિશ્વાસ પેદા થાય છે. તેને અનુભવ કહે છે. તે અનુભવ અને પૂર્વોક્ત સ્મરણ એ બંને દ્વારા પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
વાયેલી વસ્તુ હાથ આવે ત્યારે “તે જ આ પ્રતિમા છે.” તેવું જ્ઞાન ફરે તેને પ્રત્યભિજ્ઞાન કહે છે.
(૩) તક:- જે વસ્તુ જેના વગર રહેતી નથી તે વસ્તુને તેની સાથેના ત્રિકાલ વ્યાપી સંબંધને નિશ્ચય તે તર્ક, જેમકે ધૂમ છે ત્યાં અગ્નિ છે. એન્ટેના છે ત્યાં ટી. વી. છે. આ નિયમ જાણનાર એન્ટેના જેઈ ટી. વી.નું અનુમાન કરી શકે.
સ્મરણમાં અનુભવ કારણ બને છે. પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણ અને અનુભવ બંને કારણરૂપ છે. તેમાં અનુભવ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન ત્રણે જ્ઞાને કારણરૂપ છે.
(૪) અનુમાન – વસ્તુના અનુમાન માટે વસ્તુને છોડીને નહીં રહેનાર એ પદાર્થ જેને હેતુ કહેવામાં આવે છે. તેનું ભાન થવું જોઈએ. જેમકે ધુમાડે જોતા ત્યાં અચી હશે તેવું અનુમાન થાય.
- - સ્વાર્થ અનુમાન :- માત્ર હેતુને જેવાથી આત્મગત જે બંધ થાય છે તેને સ્વાર્થોનુમાન કહે છે. જેમકે ધુમાડે જતાં અગ્ની હોય તે બાધ થવા.
-૦- પરાર્થ—અનુમાન :- આ જે બોધ થયેલ હોય તે બીજાને જણાવવા માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવે તે પરાર્થનુમાન જાણવું.
(૫) આગમ પ્રમાણ:- આપ્ત મનુષ્ય કે પ્રમાણિક પુરુષના વચનથી ઉત્પન્ન થયેલ અર્થ જ્ઞાન તે આગમ.
અહીં આપ્તની વ્યાખ્યા કરતા જણાવે છે કે કહેવા ગ્ય વસ્તુને યથાર્થ જાણે અને જાણ્યા પ્રમાણે જે કહે તે આપ્ત. આવા પ્રમાણિક પુરુષનું વચન જ અવિસંવાદિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org