________________
૫૦
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા (૧) પ્રત્યક્ષ પ્રમાણુ - જે સ્પષ્ટ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે.
જે જ્ઞાનાવરણ અને અંતરાય તેના ક્ષયોપશમ કે ક્ષયથી સ્પષ્ટ વિશિષ્ટ જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને પ્રત્યક્ષ જાણવું. જેમાં બાળકને ટી.વી. વિશે શાબ્દિક ખ્યાલ આપે તે માત્ર ઝાંખી થાય, પણ સીધું જ ટી.વી. લાવીને દેખાડાય તે સ્પષ્ટ બેઘ થશે.
આવું પ્રત્યક્ષ પ્રમાણ બે પ્રકારે છે.
(૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ વ્યવહાર યોગ્ય સ્પષ્ટ જ્ઞાન. ચક્ષુ વગેરે બાહ્ય ઈદ્રિયોની અપેક્ષાથી ઈષ્ટમાં પ્રવૃત્તિ રૂપ અને અનિષ્ટમાં નિવૃત્તિ રૂપ મુશ્કેલી વિના જેનાથી જ્ઞાન થાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન,
(૨) પારમાર્થિક પ્રત્યક્ષ – ઈન્દ્રિય કે મનની અપેક્ષા વિના આત્માના સાંનિધ્યથી જે જ્ઞાન થાય છે. આ જ્ઞાન કેઈપણ અપેક્ષા રાખતું નથી અહીં માત્ર જ્ઞાનને આવરક વસ્તુના નાશની જ અપેક્ષા છે.
પરમ અર્થમાં જે હોય તેને પારમાર્થિક જાણવું. જેમ કે આત્માની નજીક મારગની અપેક્ષા રાખવાવાળું અવધિ આદિ જ્ઞાન.
[નોંધ :- પ્રત્યક્ષ પ્રમાણની વ્યાખ્યામાં લક્ષ એટલે ઈદ્રિય અર્થ કર્યો તે સાંવ્યવહારિકમાં લાગુ પડશે પણ પારમાર્થિક પ્રત્યક્ષમાં જ એટલે જીવ અર્થ લે તેમ ચાવવામાં જણાવેલ છે. અક્ષ રા जीव पर्याय : ૦ સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ પણ બે પ્રકારનું છે
(૧) ઈદ્રિય નિબંધન - સ્પર્શ—રસ–ઘાણ- ચક્ષુ અને શ્રેત એ પાંચ ઈન્દ્રિયેથી ઉત્પન્ન થતું સ્પર્શ-રસ-ગંધ-રૂપ-શબ્દનું જે જ્ઞાન તે ઈન્દ્રિય નિબંધન પારમાર્થિક પ્રમાણુ કહેવાય છે. [સરખા અધ્યાય-૨ સૂર ૨૧]
(૨) અનિષ્ક્રિય નિબંધના – જે મનથી ઉત્પન્ન થનારું છે. અથવા જેમાં મનની મુખ્યતા છે તેને અનિયિ નિબંધન પારમાર્થિક પ્રમાણ કહે છે. સિરખાવે અધ્યાય ૨ સૂગ ઃ ૨૨]
સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણુના આ બંને ભેદો પણ બીજા ચાર–ચાર ભેદો ધરાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org