________________
અધ્યાય-૧ સૂત્ર-૬
દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રીને ઘટાડે તે પરોક્ષ પ્રમાણથી પણ અભાવ પ્રમાણ નકકી થઈ જશે. જેમકે તે જગ્યાએ ઘડાનો અભાવ છે. એ વાત મરણ પ્રમાણથી નકકી થઈ જશે.
“તે જ ઘડાના અભાવવાળું આ સ્થળ છે.” આ વાત પ્રત્યભિજ્ઞાન પ્રમાણથી નક્કી થઈ જશે.
જે અગ્નિવાળું નથી ત્યાં ધૂમાડાને અભાવ છે. તેવું તર્ક પ્રમાણથી નક્કી થઈ જશે.
આ દ્રહમાં અગ્નિ નથી માટે ધૂમાડાને અભાવ છે, તેમ અનુમાન પ્રમાણથી નકકી થઈ જશે.
તે પછી અભાવ પ્રમાણની પ્રવૃત્તિ જ કયાં થવાની?
(૬) સંભવ પ્રમાણ :- આ પ્રમાણ પણ અનુમાન રૂપ જ છે. જેમ બે શેરનો એક કિલોગ્રામ ગણાતો હતો તે આ બે શેર પણ ૧ કિલોગ્રામ બરાબર થશે તેવો સંભવ છે. આવું અનુમાન પ્રમાણથી નકકી થઈ શકશે.
(૭) અતિક્ષ્ય પ્રમાણ - આ પ્રમાણ એવા પ્રકારની વાત કરે છે કે જેમાં કલપીત પણ જણાય જેમકે “આ વટવૃક્ષમાં યક્ષ રહે છે.” આ વાત કેવળ પરંપરાથી જણાય છે તે માટે કોઈ પ્રમાણ નથી માત્ર વૃદ્ધ કથન છે વળી મૂળ વકતાનું પણ જ્ઞાન નથી.
આ પ્રમાણ શંકાવાળું હોવાથી માન્ય થઈ શકે નહીં. કેમકે તેમાં તેમાં મૂળ વક્તાનું જ્ઞાન નથી, કદાચ આ વચન આપ્ત વચન હોય તે આગમ પ્રમાણ ગણાય અને તેને સમાવેશ પક્ષ પ્રમાણમાં થઈ જશે. ' (૮) પ્રાતિજ પ્રમાણ:- જેમાં ઈન્દ્રિય હેતુ તથા શબ્દના વ્યાપારની અપેક્ષા રખાતી નથી કેવળ મને કલ્પના જ છે. જેમકે મારા પર આજે કદાચ અકસ્માત જ રાજની કૃપા થશે. આવા પ્રકારનું જ્ઞાન તે પ્રતિભા પ્રમાણે કહ્યું. તે ઈન્દ્રિય જન્ય ન હોવાથી માનસ પ્રત્યક્ષમાં જ સમાવાશે.
આમ પ્રમાણુ પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org