________________
३७
અધ્યાય-૧ સૂત્ર-૫ કઈ વ્યક્તિમાં સેવક એગ્ય સેવાને કઈ ગુણ નથી છતાં કેઈએ તેનું નામ સેવક રાખ્યું તે તેને નામ સેવક કહેવાય નામ ને અર્થાતરમાં સંજ્ઞા કહેવામાં આવે છે.
| સ્થાપના નિક્ષેપ –વસ્તુની સ્થાપના-આકૃતિ-પ્રતિબિંબ-ચિત્ર જેવાથી પણ તે વસ્તુની ઈચ્છા કે વસ્તુ પર રાગ અથવા ઠેષ જન્મ છે. અહીં મૂળ વસ્તુની પ્રતિકૃતિ કે મૂતિ વગેરેમાં પણ સ્થાપના હાઈ શકે અને મૂળ વસ્તુના આરે પણ રૂપે પણ સ્થાપના થઈ શકે છે. જેમ કે કઈ સેવકનું ચિત્ર-મૂર્તિ કે છબી એ સ્થાપના સેવક છે.
જે સ્થાપનામાં ઉપસ્થિત વસ્તુને સંબંધ કે મનેભાવ જોડીને આરેપ કરાયો હોય તો તેને અતદાકાર સ્થાપના કહે છે. કારણ કે વસ્તુનું ચિત્ર–મૂર્તિ વગેરે તે સારુણ્ય ભાવવાળા છે તેથી તદાકાર સ્થાપના સ્વરૂપ જ છે. પણ જેમ સ્થાપનાચાર્યજી બેલીને આપણે ઠવણી ઉપર પધરાવીએ છીએ તે તે અતદાકાર સ્થાપના થશે.
અતદાકાર સ્થાપના મનભાવ સાથે વિશેષ સંબંધ છે. જેમ લાકડું એક જ છે છતાં શુભ પ્રસંગે જમણવારમાં ઇંધણ તરીકે વાપરે તે “મગ–બાફણા” કહેવાય અને સ્મશાન યાત્રામાં ઈધણ રૂપે વાપરે તે લાકડું જ કહેવાય છે. કેમ કે સ્થાપના નિક્ષેપ માં પૂજ્ય–અપૂજ્યને વ્યવહાર સ્પષ્ટ છે. ] દ્રવ્ય નિક્ષેપ – વસ્તુની પૂર્વ કે ઉત્તર અવસ્થા પરથી દ્રવ્ય નિક્ષેપાને સંબંધ જોડાય છે. મતલબ જે અર્થ ભાવ નિક્ષેપને પૂર્વરૂપ અથવા ઉત્તર રૂપ હોય તે દ્રવ્ય નિક્ષેપ જેમ કોઈ વ્યક્તિ વર્તમાનમાં સેવા કાર્ય નથી કરતી પણ ભૂતકાળમાં સેવા કાર્ય કરેલું છે અથવા ભવિષ્યમાં સેવા કાર્ય કરવાના છે તો તે દ્રવ્ય સેવક ગણાય.
આમ અહીં વસ્તુના બદલાતા પર્યાય સાથે મુખ્ય સંબંધ છે. બીજુ દેષ્ટાન્ત લઈએ શ્રેણિક મહારાજા ભાવિ તીર્થકર છે માટે હાલ દ્રવ્ય તીર્થકર કહેવાશે. અને મોક્ષે જશે પછી પણ દ્રવ્ય તીર્થકર કહેવાશે. 3 ભાવ નિક્ષેપ :- વસ્તુની વર્તમાન અવસ્થા કે પર્યાય આધારે ભાવ નિક્ષેપો ઘટાવાય છે. જેમ કેઈ વસ્તુનું નામ “ખુરશી છે તે તે નામ નિક્ષેપ થયો. ખુરશીનું ચિત્ર તે સ્થાપના નિક્ષેપ થયો. ખુરશી અન્યા પૂર્વેનું લાકડું તે દ્રવ્ય ખુરશી થઈ પણ ખરેખર વર્તમાન અવસ્થામાં જે ખુરશી છે તેને ભાવ નિક્ષેપારૂપ સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org