________________
૩૬
તવાર્થ સૂત્ર પ્રધટીકા (ર) સ્થાપના નિક્ષેપ- સ્થાપના એટલે આકૃતિ અથવા પ્રતિબિંબ વસ્તુની ગેરહાજરીમાં અન્ય વસ્તુમાં તેનું પ્રતિનિધિત્વ આપવું, પ્રભુ મહાવીર તો નથી પણ તેની પ્રતિમાજી તે સ્થાપના નિક્ષેપ.
(૩) દ્રવ્યનિક્ષેપ – વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા તે દ્રવ્ય નિક્ષેપ જેમકે ભગવંત તીર્થંકર નામકર્મ નિકાચીત કરે ત્યારથી કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધીની અને મોક્ષે ગયા પછીની અવસ્થા તે દ્રવ્ય તીર્થકર.
(૪) ભાવનિક્ષેપ :- વસ્તુની વર્તમાન અવસ્થા જેમકે તીર્થ પ્રવર્તાવે ત્યારથી મેક્ષગમન સુધીનો કાળ તે ભાવ તીર્થકર.
[6] અનુવૃત્તિ जीवा जीवाश्रव बन्ध संवर निर्जरा मोक्षोस्तत्वम्
[7] પ્રબોધ ટીકા :પૂર્વ સૂરામાં તન નામ જણાવ્યા છે. આ સૂગ તેના ચાર ભેદે નિક્ષેપો કરવા માટે છે. અર્થાત્ જીવ તત્વના ચાર નિક્ષેપ, અજીવ તત્વના ચાર નિક્ષેપ એ રીતે સાતે સાત તની ઓળખ નામ-સ્થાપના–દ્રવ્યભાવથી કરવી. ] સૌ પ્રથમ ન્યાસ અથવા નિક્ષેપની સમજ આપતા જણાવે કે બધાં વ્યવહાર કે જ્ઞાનની આપ–લેનું મુખ્ય સાધન ભાષા છે. ભાષા શબ્દની બનેલી છે. એક જ શબ્દ પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થોમાં વપરાય છે. પ્રત્યેક શબ્દના સ્પષ્ટીકરણ માટે ચાર પ્રકારે અર્થની વિચારણા કરાય છે. આ ચાર અર્થે જ જે–તે શબ્દાદિના અર્થ સામાન્યના ચાર વિભાગી કરણે છે. આ વિભાગ ન્યાસ કહેવાય છે જે બીજા શબ્દમાં નિક્ષેપ તરીકે સુપ્રસિદ્ધ છે. આ વિભાગીકરણના પરિણામે તાત્પર્ય સમજવામાં સરળતા થાય છે. D નામ નિક્ષેપ - કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું નામ ન હોય તે વ્યવહાર જ ન ચાલે. જેમ વસ્તુને સાક્ષાત્ જેવાથી વસ્તુની ઈરછા કે વસ્તુ પર રાગ અથવા ઠેષ થાય છે. તેમ વસ્તુનું નામ સાંભળવાથી પણ ઈરછા–રાગ કે દ્વેષ પ્રગટે છે. વસ્તુનું નામ તે નામ નિક્ષેપ કહેવાય છે.
જે અર્થ વ્યુત્પત્તિ સિદ્ધ નથી પણ ફક્ત માતા પિતા કે અન્ય લેકેના સંકેત બળથી જાણી શકાય છે. તે અર્થ “નામનિક્ષેપ” જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org