________________
અધ્યાય-૧ સૂત્ર-૪
૩૧
નિર્જરા તથા મેક્ષમાં પણ મુખ્ય વસ્તુ તો કર્મોને વિનાશ કે ક્ષય થ તે છે. માટે એક જ નિર્જરા તત્વ ગણે તે તો પાંચ થશે. જીવઅજીવ–બંધ-સંવર–મોક્ષ.
જેઓ પાપ અને પુન્યને જુદા-જુદા જણાવે છે તે નવતત્વકારના મતે કુલ નવત થશે.
અહીં અશુભ આશ્રવ તે પાપ તત્વ અને શુભ આશ્રવ તે પુન્ય તત્વ ગણું આશ્રવમાં જ બંને તત્વે સમાવિષ્ટ કર્યો માટે સાત તા થયા. મતલબ કે સંક્ષેપ વિવક્ષામાં પાપ-પુણ્યને આશ્રવ અને બંધમાં અન્તર્ભાવ કરી દેતા આ સૂત્ર સાત તનું બનેલ છે.
પુણ્ય અને પાપતત્વ બંનેના દ્રવ્ય અને ભાવથી બે-બે ભેદે છે. જે કર્મના ઉદયથી જીવને સુખને અનુભવ થાય તેવા શુભ કર્મ પુદ્ગલ તે દ્રવ્ય પુણ્ય અને દ્રવ્ય પુણ્ય બંધ કારણભૂત દયા–દાન વગેરે શુભ અધ્યવસાય તે ભાવ પુણ્ય.
જે કર્મના ઉદયથી જીવને દુઃખને અનુભવ થાય તે અશુભ કર્મ પુદ્ગલને દ્રવ્ય પાપ અને દ્રવ્ય પાપ બંધમાં કારણભૂત હિંસાદિ અશુભ અધ્યવસાયે તે ભાવપાપ,
બે તમાં સમાવિષ્ટતા :
જીવતત્વ તે સ્વતઃ પ્રસિદ્ધ છે જ. સંવર, નિર્જરા અને મોક્ષ એ ગણ તને જીવસ્વરૂપ કે જીવના પરિણામ રૂપ જ છે. કેમકે એટલે અંશે સંવર આદિ થાય તેટલે અંશે જીવ સ્વ–સ્વરૂપમાં આવે છે. તેથી આ ત્રણે તને જીવતત્વમાં સમાવેશ કરવો.
જીવ નથી તે અજીવ એ વ્યાખ્યા મુજબ બીજુ તવ અજીવ છે. આશ્રવ અને બંધ એ કર્મ પરિણામ છે. કર્મ પુદગલાની વૃદ્ધિ કરાવનાર છે માટે અજીવતવમાં સમાવિષ્ટ કર્યો. 'તત્ત્વોને પરસ્પર સંબંધ અને કમ :
જીવ ને શરીર-મત–શ્વાસેચ્છવાસ–ગમન–સ્થિતિ–અવગાહ-વગેરે ઉપકારો ના કારણભૂત હેવાથી અનન્તર એવું અજીવ તત્ત્વ મૂક્યું. અહીં ઉપકાર્ય–ઉપકાર ભાવ સંબધ છે.
જીવ અને અજીવના આશ્રયથી આસવ થાય છે માટેત્રીજુ આસવ પદ મુકયું. અહી. આશ્રયણ આશ્રયિભાવ સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org