SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય–૧ સૂત્ર-૪ ૨૯ સંવરતત્વ જ છે. શુભાશુભ કર્મનું રકવું અથવા સંવરના પરિણામ રહિત સંવરની ક્રિયા અનુષ્ઠાનમાં વર્તવું તે દ્રવ્ય સંવર અને દ્રવ્ય સંવરના કારણભૂત આત્માનાં પરિણામ તે ભાવ સંવર છે. બીજા શબ્દોમાં કહીએ તે કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્ય સંવર છે અને દ્રવ્ય સંવરના કારણભૂત સમિતિ-ગુપ્તિ વગેરે લાવ સંવર છે. જે રીતે બારી-બારણું બંધ થવાથી મકાનમાં કચરો આવતો નથી અથવા જે નગરના દ્વાર સારી રીતે બંધ હોય તે નગર દુશ્મને માટે અગમ્ય બની જાય છે એ જ રીતે સમિતિ-ગુતિ વગેરેથી સુસંવૃત આત્મા કર્મશત્રુ માટે અગમ્ય બની જાય છે. સક્રિય અને વાળ માત્ર = સંવર: જેના દ્વારા સંવરણ થાય (કર્મ કાય) અથવા સંવરણ (કમનું રોકવું) માત્ર સંવર છે. સમ્ ઉપસર્ગ પૂર્વક સ્વાદિ ગણની વૃત્ર વાળ ધાતુને કારણ કે ભાવમાં પ્રત્યય લગાડવાથી સંવર શબ્દ બન્યો છે સમૂ-વૃ+ સંવર, (૬) નિજર :- નિર્જરવું એટલે કર્મોનું ખરવું. ખરવું, ઝવું, સડવું, નાશ પામવું તે નિર્જરા. અથવા જેના વડે કર્મોનું ઝરવું અર્થાત નાશ પામવું બને તે તપશ્ચર્યાદિ પણ નિર્જરા તત્વ તરીકે જ ઓળખાય છે. [અહીં ખાસ ખ્યાલ રાખવું કે કમને કમિક ક્ષય અથવા આંશિક ક્ષય તે નિર્જરા છે સર્વથા ક્ષય તે મેક્ષ જ કહેવાય.] શુભાશુભ કર્મોને દેશથી ક્ષય થો-સમ્યત્વ રહિત અજ્ઞાન પરિણામ વાળી નિર્જરા હેવી–અથવા–સમ્યફ પરિણામ રહિતની તપશ્ચર્યા તે દ્રવ્યનિજર છે અને કર્મોના દેશ ક્ષયમાં કારણ રૂપ જે આત્માનો અધ્યવસાય-અથવા- નિરાના સમ્યક્ પરિણામ યુક્ત જે તપશ્ચર્યાદિ ક્રિયાઓ તે ભાવનિર્ભર છે. અજ્ઞાન તપ-અજ્ઞાન કષ્ટ યુક્ત કિયા-અનિચ્છા કે વિશિષ્ટ ઈરછા રહિત આપો આપ થતી નિર્જરા જેવી કે વનસ્પતિને ટાઢ-તડકો વગેરે સહન કરવા પડે છે તે–આ બધી અકામ નિર્જરા છે. સમ્યગ્દષ્ટિ જીવો. કે વિરતિવંત આત્માઓ જેના વિવેક ચક્ષુ જાગ્રત થયેલા છે તેવાની સમ્યક્ ક્રિયા-તપશ્ચર્યાદિ સકામ નિર્ભર છે. નિઃ ઉપસર્ગ પૂવર્ક –ાની એ દિવાદિ ગણની ઘાતુને કારણ કે ભાવમાં બહુ પ્રત્યય લાગ્યો. સ્ત્રીત્વ વિવક્ષામાં બાપ પ્રત્યય લાગી નિર્ચા શબ્દ બન્યો છે. નિર+૯+ગા=નિ થશે. નિર્વિજત્તેજના निर्जरण मात्र वा निर्जरा - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy