SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તત્વાર્થસૂત્ર પ્રધટીકા પુણ્ય અને પાપ એ બંને આશ્રવમાં સમાવિષ્ટ કરેલા ત છે. શુભ કર્માશ્રવ તે પુણ્ય છે અને અશુભ કર્માશ્રવ તે પાપ છે પુણ્યને ઉદય હોય તે જીવને ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિ-સુખ ભંગ વગેરે પ્રાપ્ત થાય છે અને પાપને ઉદય હેય તે ઉદ્વેગ થાય પ્રતિકૂળ સંયોગ ઉદ્દભવે ઘણું દુઃખ ભેગવવું વગેરે બને છે. કર્મોનાં આશ્રવને સમજાવતા કહી શકાય કે જે રીતે સમુદ્ર સદા નદી દ્વારા જળથી ભરાતું રહે છે કે ખુલ્લા રહેલા મકાનના બારી બારણુમાંથી કચરો આવતો રહે છે તે રીતે મિથ્યાત્વ–અવિરતિ-કષાય યેગના દ્વારથી આત્મા તરફ કર્મ કચરો આવતો રહે છે. મા એટલે સમન્સન અને શવ એટલે શ્રવવું–આવવું ચારે તરફથી કર્મોનું આવવું તે આશ્રવ. માથુરે જૈઃ કર્મ જેના વડે કમ ગ્રહણ કરાય તે આશ્રવ કહેવાય. ગાઝિયતે– પાર્થ શર્મ મિઃ જેના વડે કર્મ ઉપાર્જન કરાય છે તે આશ્રવ ગ૬. ઉપસર્ગ પૂર્વક વાદિ ગણુનીરૂં ધાતુ છે. તેને પ્રત્યય લાગી શાસ્ત્ર –ાર એમ આશ્રવ શબ્દ બન્યો છે. (૪) બંધ - જીવ સાથે કર્મનું જે ક્ષીરનીરવત [દુધમાં પાણી મળી જાય તે રીતે જે જોડાવું તેને બંધ કહે છે. અહીં આત્મા સાથે કર્મ પુદગલેને જે સંબંધ થ તે દ્રવ્યબંધ અને તે દ્રવ્યબંધના કારણ રૂપ આત્માને જે અધ્યવસાય તે ભાવબંધ કહેવાય. - મિથ્યાવાદિ કારણોથી થતે જે કર્મ આસ્રવ જીવ સાથે જે એક ક્ષેત્રાવગાહ થઈ જાય તેને બંધ કહે છે. જેવી રીતે બેડી વડે જકડાયેલ પ્રાણ પરતંત્ર બને છે. તેમ કર્મથી બંધાયેલે જીવ પરતંત્ર બને છે અને ઈષ્ટ વિકાસ સાધી શકતા નથી. વધ્યતે નેન વજ માત્ર વા : જેના વડે જીવ બંધાય અથવા જીવ અને કર્મનું એકમેક સાથે બંધાવું તે બંધ છે. અહીં કયાદિ ગણની ધાતુ વધવાને કરણ અથવા ભાવ અર્થમાં ઘન પ્રત્યય લાગીને ઘધ શબ્દ બનેલ છે. (૫) સંવર આશ્રવને નિરોધ તે જ સંવર. આવતા કર્મોને રેકવા અથવા કર્મોને આત્મા તરફ સ્ત્રવતા અટકાવવા તે જ સંવર. સમિતિ ગુપ્તિ પરિષહ યતિધર્મ ભાવના અને ચારિત્ર એ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy