________________
२७
અધ્યાય-૧ સૂત્ર–૪
ઐપિશમિક વગેરે ભાવથી જોડાયેલ, સાકાર કે નિરાકાર સ્વરૂપ. શબ્દાદિ વિષયને જાણનાર, અમૂર્ત સ્વભાવવાળ, ક્રિયાને કર્તા, તે કર્મનો ભોક્તા એ જીવ છે.
भावप्राण धारणपेक्षयां जीवति अजीवीत् जीविष्यति वा इति जीवः ભાવ પ્રાણ ધારણ કરવાની અપેક્ષાએ જે જીવી રહ્યો છે, જીવિત રહી ચૂક્યો છે કે ભવિષ્યમાં જીવવાનું છે તે જીવ છે. જીવ બાળ વાળ વાદિ ગણની ધાતુને કર્તામાં જ પ્રત્યય લાગી જa+=ીર શબ્દ થયે 3 અજીવ:– જીવ કરતાં વિપરીત સ્વભાવવાળું કે લક્ષણવાળું તત્વ તે અજીવ. એટલે કે ચૈતન્ય લક્ષણ રહિત સુખ-દુઃખના અનુભવ વિનાનું અને જડ લક્ષણવાળું તત્ત્વ તે અજીવ.જેમકે લાકડું–આકાશ વગેરે.
આ અજીવ તત્ત્વના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને કાળ એવા પાંચ ભેદે છે. તેમાં પુદગલ રૂપી છે. વર્ણગંધ-રસ અને સ્પર્શથી યુક્ત છે. બાકીના ધર્માસ્તિકાય વગેરે ચાર અરૂપી છે. વર્ણાદિ ચતુષ્કથી રહિત છે. અરૂપી પદાર્થો ઇદ્રિથી જાણી શકાતા નથી. રૂપી પદાર્થો સ્થળ પરિણામી હોય તે ઇન્દ્રિયોથી, જાણી શકાય છે પણ સૂક્ષમ પરિણામી હોય તે ઇદ્રિથી જાણ શકાતા નથી. [1 યુગલદિ દ્રવ્યઅજીવ છે. 7 વર્ણાદિ તે ભાવઅજીવ છે.
જગતમાં જીવ પછીનું મુખ્ય તત્વ અજીવ છે. બાકીના તત્વો આ બંને તાના વિસ્તાર સ્વરૂપ જ છે.
भावप्राणधारणापेक्षायां न जीवति नाजीवीत् न जीविष्यति इति લકીવઃ ભાવ પ્રાણ ધારણ કરવાની અપેક્ષાએ જે જીવતો નથી, જીવ્યા નથી કે જીવવાનો નથી તે અજીવ લીવ શબ્દ સાથે ના તત્પરુષ સમાસ કરવાથી લીવ શબ્દ બન્યો છે. (૩) આશ્રવ:- શુભ કે અશુભ કર્મોને આત્મામાં આવવાનું કાર તે આશ્રવ છે. જે ક્રિયાઓ વડે શુભાશુભ કર્મ આવે તે ક્રિયા પણ આશ્રવ તત્વ છે. મન-વચન કાયાની શુભાશુભ પ્રવૃત્તિ એ દ્રવ્યઆશ્રવ છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના પરિણામ કે તે પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા પરિણામ તે ભાવઆશ્રવ, બીજા શબ્દોમાં કહીએ તે કર્મોનું આત્મામાં આગમન તે દ્રવ્ય આશ્રવ છે અને દ્રવ્યાશ્રવમાં કારણભૂત મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ભાવઆશ્રવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org