SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ તત્વાર્થસૂત્ર પ્રધટીકા ,, ભવ્યતાના ચાગે કર્મો ખપતા ખપતા બાહ્ય નિમિત્ત વિના આ-માના કરણ—બળ—પુરુષાર્થ વિશેષથી આવું નિસર્ગ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. L] પરોપદેશ આદિ બાહ્ય નિમિત્તથી જે પરિણામ વિશેષ થવાથી આમામાં પ્રગટ થાય છે તેને અધિગમ સમ્યગ્દશન કહે છે. ! અધિગમના અભિગમ-આગમ-શ્રવણ–નિમિત્ત-શિક્ષા- ઉપદેશ વગેરે સમાનાથી પર્યાયવાચી શબ્દ છે. અધિગમ–અધિક જ્ઞાન બીજાના નિમિત્ત થકી ઉત્પન્ન થાય છે. તેથી પરનિમિત્ત રૂપ અધિક કહેવાય છે. આવું અધિક જ્ઞાન કે રુચિ. તે અધિગમતા. અભિગમ - ગુરુ મુખેથી અથવા ગુરુની અભિમુખ્યતાના આલંબન વડે જે જ્ઞાન થાય તે અભિગમ. આગમ પૂર્વ પુરુષ પ્રણિત, પૂર્વાપર વિધ શંકા રહિત એવા વ્યવસ્થિત વર્ણ—પદ વાક્યના સમૂહના આચનથી થતી તવ રુચિ તે આગમ. સંક્ષેપમાં આગમ એટલે શાસ્ત્ર. શ્રવણ - કાન વડે જે સાંભળવું તેના થકી ઉત્પન્ન થાય તે શ્રવણ નિમિત્ત –પ્રતિમાજી વગેરે જે જે સમ્યગદર્શન ઉત્પત્તિ માટે બાહ્ય વસ્તુ છે તે તે સર્વ નિમિત્તે જ ગણવા. તેના થકી ઉત્પન્ન થતું નિમિત્ત સમ્યગ્દર્શન ગણવું. શિક્ષા –આત પ્રણીત ગ્રન્થના પુનઃ પુનઃ અભ્યાસ વડે જે થાય તે શિક્ષા સમ્યગદર્શન. ઉપદેશ :- જિનેશ્વર પરમાત્માની જેમ ગુરુ દેવે દ્વારા જે દેશના કથન થાય તે ઉપદેશ. આ સાત ભેદ અથવા અન્ય કેઈ બાહ્ય નિમિત્ત થકી તત્ત્વાર્થજીવાદિ પ્રત્યે જે રુચિ પ્રસરવી તે અધિગમ સમ્યગ્દર્શન સમજવું. [] જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક બંને પ્રકારના અભિલાષમાંથી જન્મે, પણ ભૌત્તિક સાંસારિક લાલસા માટે થતી તત્વજિજ્ઞાસા સમ્યગ્દર્શન નથી. કેમકે તેમાં પરિણામે મોક્ષ પ્રાપ્તિ લક્ષ્ય નથી. જ્યારે આધ્યાત્મિક વિકાસ હેતુથી મેક્ષના લક્ષ્ય પૂર્વક તત્વનિશ્ચયની જે રુચિ થવી તેજ સમ્યગ્દર્શન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy