________________
૨૧૭
અધ્યાય-૧ સૂત્ર-૩૫
અહીં પરસ્પર વિરોધી લાગતા લક્ષણે જ એક માનવીમાં જણાય છે. છતાં તેને અસત્ય કહી શકાતું નથી. કારણ કે દરેક લક્ષણ કિઈને કઈ અપેક્ષાઓ કહેવાયું છે. નયવાદ આવા પરસ્પર વિરોધી વાકયે વચ્ચે એકવાક્યતા સાધે છે. તેથી નયવાદ અપેક્ષાવાદ પણ છે.
આપણે સમગ્ર વ્યવહાર નય અથવા અપેક્ષા પર ચાલે છે. વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી આપણને જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વ્યવહાર કરીએ છીએ. જેમકે સાધુ ભગવંત “મેક્ષને સાધે છે.” તે અપેક્ષાએ સાધુ કહ્યા. ઘર રહિત હવાથી IT કહ્યા. ભિક્ષાચર હેવાથી ભિખુ કહ્યા. ગ્રંથિ રહિત હોવાથી નિગ્રંથ કહ્યાં એ રીતે એક અપેક્ષા એ મુનિ કહ્યા, બીજી અપેક્ષાએ શ્રમણ કહ્યાં બધાં જ સાધુ શબ્દના પર્યાય છે. છતાં જ્યારે જે અપેક્ષા એ વાત થાય તે ધર્મને આગળ ધરી તેને પર્યાય કહ્યો છે. અપેક્ષા અનંત છે માટે ના પણ અનંત છે. આ અનંત નયમાંથી અહીં પાંચ સાત ના સૂત્રકારે આપણી સમક્ષ મૂકેલા છે. | નયને અથ અને અપર્યાય :- જુદા જુદા અર્થ કે વ્યાખ્યા પૂર્વે સૂત્ર ૧૪ ૬ માં કહ્યા છે. એટલે નય નિરૂપણમાં આપેલી વિગતને જ અહીં વ્યાખ્યા રૂપે રજૂ કરી છે.
પ્રત્યેક વસ્તુમાં અંનત ધર્મ કે સ્વભાવ હોવાથી એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી ભાસે આ અનંત ધર્મમાંથી જે ધર્મ કે સ્વભાવને સુખ્ય કરીને બોલાય તે નય કહેવાય.
આ નચ શબ્દના વિવિધ પર્યાયે કહ્યા છે.
ના:- નયને ફરિ નયા - જીવાદિ પદાર્થોને સામાન્યથી પ્રગટ કરવું એ નય.
તેને માટે ભાકાર મહર્ષિ પ્રાપક-કારક–સાધક–નિવકનિર્ભોસી–ઉપલંભક–વ્યંજક એ પર્યાય શબ્દ વાપરે છે. [સિદ્ધસેનીય તથા સભાષ્ય ટીકામાં તેની વ્યાખ્યા કરાયેલી છે. જેમકે
પ્રાપ – જે તે પદાર્થોને આમામાં પહોંચાડે તે પ્રાપક. જા- આત્મામાં અપૂર્વ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરાવે તે કારક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org