SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ તત્વાર્થસૂત્ર પ્રધટીકા [7] પ્રબોધટીકા - અહીં સૂત્ર ૩૪ અને ૩૫ બંનેની વિચારણું સાથે કરવાની છે. શ્રી ભાગ્યકાર મહર્ષિ પણ ભાષ્યમાં સાતે નયેની વિચારણા સંયુક્ત પણે કરે છે. તેથી એ પરંપરાને અનુસરીને પૂ. સિદ્ધસેન ગણિજી તથા પૂ. હરીભદ્રસૂરિજીએ પણ એ રીતે ટીકા રચી છે. તેથી અહીં પણ એ પરંપરાનું અનુસરણ કરેલ છે. | ભૂમિકા :– નયના ભેદોની સંખ્યા વિશે ત્રણ પરંપરાને ઉલ્લેખ મળે છે. (૧) પ્રથમ પરંપરા સાત ભેદો ઉલ્લેખ કરે છે. જે અનુગ દ્વારમાં જણાવેલ છે – નિગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ એવંભૂત. (૨) પૂ. સિદ્ધસેન દિવાકર સૂરિજી બીજી પરંપરા અનુસરે છે. તેઓ નિગમનયને છોડીને બાકીના નયને સ્વીકારે છે. (૩) પૂ. ઉમાસ્વાતિજી મહારાજા ત્રીજી પરંપરા જણાવે છે. તે મુજબ પાંચના સૂત્ર : ૩૪માં કહ્યા. આ સૂત્ર થકી બે પેટા ભેદ કહ્યા. | નય નિરપશુ:- કેઈ એક વસ્તુ વિશે અનેક પ્રકારના વિચારો થઈ શકે છે. જેમકે એક ઘડાને જોતા આ ઘડે છે- લાલ રંગને છે. ગેળ છે– હલકે છે– શીયાળામાં બન્યો છે–પાણી સારું રહે તે છે. એવા અનેક વિચારો થઈ શકે. આવા વિચારને એક એક કરી ધ્યાનમાં લેવા અશકય બને છે. તેથી આ વિચારોનું વર્ગીકરણ કરી દેવાય છે. આવા વગીકરણને “નય” કહે છે. “વિરોધી દેખાતા વિચારોને વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર તેમ કરી તેવા વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર” તે નયવાદ– એવી પણ વ્યાખ્યા જોવા મળે છે. જેમકે એક પુરુષને કેઈ બહાદુર કહે છે– કેમકે તેણે જંગલમાં સીહને વીંધી નાખે. બીજા બીકણ કહે છે. કેમકે તેની સ્ત્રીથી પણ બીતે ફરે છે. ત્રીજા વિદ્વાન કહે છે. કેમકે યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ આવેલે ચોથા મુખ કહે છે કેમકે તેનું વ્યવહારનું જ્ઞાન નથી. આવા અનેક ગુણધર્મોથી તે માણસની ભિન્ન ભિન્ન ઓળખ અપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy