________________
२०८
તત્વાર્થસૂત્ર પ્રાધિકા || વસ્તુને યથાર્થ બોધ કયારે થાય ?
જ્યારે મિથ્યાત્વ મેહને ઉદય હોય ત્યારે વસ્તુનો યથાર્થ બેધ થતું નથી. વિપરિત બંધ જ થાય છે. એથી મિથ્યાષ્ટિના મતિ-શ્રત અને અવધિ એ ત્રણે જ્ઞાન વિપરિત અર્થાત્ અજ્ઞાન રૂપ જ છે.
જ્યારે મિશ્વાત્વ મેહને નાશ થાય અને સમ્યગ્દર્શન ગુણ પ્રગટે ત્યારે સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુને યથાર્થ બેધ થાય છે. મતિશ્રત–અવધિ ત્રણે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ બને છે.
| યથાર્થ બેધની વિવક્ષા શું ?
અહીં યથાર્થ બેધને અર્થ પ્રમાણુ શાસ્ત્રની દષ્ટિએ નથી કર્યો પણ અધ્યાત્મ શાસ્ત્રની દૃષ્ટિએ કર્યો છે. પ્રમાણુ શાસ્ત્રની દષ્ટિએ તે સમકિતી આત્માને પણ અયથાર્થ બોધ છે તેવું ઘટી શકશે.
જેમ દેરડું છે તેમાં દેરડાનું જ્ઞાન એ યથાર્થ બેધ છે પણ સાપનું જ્ઞાન થાય તો તે અયથાર્થ છે. કારણ કે ત્યાં સાપ નથી. અરે ! કદાચ પીળી વસ્તુ જુએ ત્યારે આ પીતળ છે કે સેનું ? તે સંશય પણ અયથાર્થ બંધ જ છે.
પ્રમાણ શાસ્ત્ર પ્રસિદ્ધ આવો અયથાર્થ બેધ સમ્યદર્શન વાળાને પણ હોઈ શકે. પણ અહીં તેની વિવક્ષા કરી નથી. અહી તો મેક્ષમાર્ગમાં સહાયક બેધને યથાર્થ બોધ કહ્યો છે અને સમ્યગદર્શન યુક્ત જ્ઞાન મેક્ષમાર્ગમાં સહાયક રહેવાનું માટે તે બેધ યથાર્થ બોધ કહ્યો.
મિથ્યાષ્ટિનું જ્ઞાન પુગલ પિષણમાં છે આથી લૌકિક દષ્ટિ એ તે ઉચ્ચ ગણાતું હોવા છતાં અજ્ઞાન છે. પણ સમ્યગ્દર્શન વાળે જ્ઞાનને ઉપયોગ આત્મવિકાસમાં કરે છે માટે તેને બોધ યથાર્થ બેધ કહ્યો.
આ ઉપરાંત સમ્યકત્વયુક્ત જીવ ને આધ્યાત્મિક વિષયમાં પણ કયારેક સંશય કે વિપર્યય થાય તે સંભવ છે. પણ તેની શ્રદ્ધા મજબૂત હવાથી સમ્યગ્દર્શનને કારણે સત્યની જિજ્ઞાસા હોવાથી કાં તે સત્યા સત્યને નિર્ણય કરશે. અથવા “મેં જાણ્યું તે જ સાચું” એવા આભિગ્રહિક મિથ્યાત્વને બદલે સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું તે સત્ય છે એ વાતની શ્રદ્ધાવાળા જ હશે માટે તેની બેધ યથાર્થ કહ્યો.
વ્યવહાર ભાષામાં કહીએ તે જીવ બે પ્રકારના મેક્ષાભિમુખ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org