________________
ક
અધ્યાય-૧ સૂત્ર-૨૭
૧૯૩ [8] સંદર્ભ
આગમ સંદર્ભ નંદિસૂત્રમાં સૂત્ર ૩૭ માં મતિજ્ઞાનને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જણાવ્યું છે. સૂત્રઃ ૫૮માં શ્રુતજ્ઞાનને દ્રવ્યાદિ ચાર ભાવે વર્ણવેલ છે. તેના આધારે આ સૂત્રને ભાવ પ્રતિપાદિત થાય છે. પણ સર્વથા સંગત આગમ સૂત્ર મળેલ નથી.
[9] પદ્ય (૧) મતિને શ્રુતજ્ઞાન સવે દ્રવ્યને જાણી શકે
સર્વ પર્યાય નહીં પણ પરિમિત પર્યાયએ. (૨) છે મર્યાદિત પર્યાય, મતિને શ્રુતજ્ઞાનને છતાં રૂપી–અરૂપીમાં તે બંને જ્ઞાન પહોંચતા.
[10] નિષ્કર્ષ આ સૂત્ર મતિ અને શ્રુતજ્ઞાનની વિષય મર્યાદા જણાવે છે. તેમાં મુખ્ય વાત એ છે કે તે સર્વ દ્રવ્યને જાણે પણ કેટલાંક પર્યાને જ જાણે.
બીજાની તુલનાએ થોડું પણ વિશેષજ્ઞાન કે બુદ્ધિ હોય તે આપણે આપણને જ્ઞાની કે બુદ્ધિશાળી માનીએ છીએ. ત્યાં આ સૂત્ર લાલબતી ધરે છે.
તીર્થંકર પરમાત્માના જ્ઞાનના અનંતમાં ભાગ જેટલા શબ્દો હોય છે. જેટલા શબ્દો છે તેના અનંતમાં ભાગે તે ઉપદેશ દ્વારા કહી શકે છે. તે ઉપદેશને અનંત ભાગ સૂત્રમાં શું થાય છે તેટલું જ્ઞાન ચૌદ પૂર્વધર સુધી જ હોય છે.
આ જ તે પુરું એક અંગ જેટલું પણ જ્ઞાન નથી પછી જ્ઞાનને અહંકાર શા કામને ?
માટે આ સૂત્ર થકી વિચારવું કે ગમે તેટલું મતિ કે શ્રત હોય તે પૂર્વ પુરુષ અપેક્ષા એ ન્યૂન જ છે. માટે અભિમાન ન કરવું અને જે સર્વ દ્રવ્ય-પર્યાય જાણવા હોય તે કેવળજ્ઞાન માટે પ્રયત્ન કરો.
I – T – U — U – T – –
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org