________________
૧૮૪
તત્વાર્થ સૂગ પ્રધટીકા
(૩) - તે [જુમતિ–વિપુલમતિ)
(૪) વિશેષ વિશેષતા–તફાવત અથવા ભેદ. i
[6] અનુવૃત્તિ ઋg વિપુમતિ મન : પર્યાય સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. [7] પ્રબોધટીકા
- સૂત્રઃ ૨૪માં સામાન્યથી ઋજુમતિ અને વિપુલમતિને ભેદ પ્રગટ કર્યો છે છતાં સૂત્રકાર ભગવંતે તેના માટે અલગ સૂત્રની રચના કરી હોવાથી અત્રે ફરીથી તે તફાવતની નેંધ કરેલ છે.
વિશુદ્ધિકૃત અને અપ્રતિપાતકૃત એમ બે રીતે તે બંને જ્ઞાનમાં તફાવત છે.
(૧) વિશુદ્ધિકૃત – ઋજુમતિ મન:પર્યાય જ્ઞાન કરતાં વિપુલ મતિ મન:પર્યાય જ્ઞાન ઘણું જ વધારે શુદ્ધ હોય છે.
જેમકે–પૂર્વે જણાવ્યા મુજબ કઈ વ્યક્તિ ઘડા વિશે વિચારણું કરે છે. ત્યારે ઋજુમતિ મન : પર્યાય જ્ઞાની તેના મનોવણાના પુ ગલે પરથી એટલું જ જાણશે કે એ વ્યક્તિ એ ઘડા વિશે વિચાર્યું.
જ્યારે વિપુલમતિ મનઃ પર્યાય જ્ઞાની તે મને વર્ગ ના પુદગલે પરથી એટલું વિશેષ નક્કી કરી શકશે કે–એ વ્યક્તિએ અમુક રંગના અમુક આકાર, અમુક સ્થળે રહેલા માટીના ઘડા વિશે વિચાર કર્યો છે.
આ રીતે ઋજુમતિ કરતાં વિશેષ પર્યાયને વિપુલમતિ જુએ છે. જાણે છે. વિશેષ શુદ્ધતા પૂર્વક જુએ છે જાણે છે વળી ઋજુમતિએ સામાન્ય ગ્રાહી છે જ્યારે વિપુલમતિ વિવિધ ભેદને જાણતું એવું વિશેષ ગ્રાહી જ્ઞાન છે.
[આ ઉપરાંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવથી જુમતિ કરતા વિપુલમતિની વિશેષતા કઈ રીતે અને કેટલી છે તે સૂત્રઃ ૨૪ ની પ્રબોધટીકામાં જણાવેલ છે.]
(૨) અપ્રતિપાત કૃત:- ઋજુ મતિ મન:પર્યાય જ્ઞાન વારંવાર ચાલ્યુ પણ જાય છે. પરંતુ વિપુલમતિ મનઃ પર્યાય જ્ઞાન તે જતું જ નથી [અર્થાત્ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org