________________
૧૮૦
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા તે ચિંતવનાર કઈ વસ્તુ ચિંતવે છે તે જાણી શકાતું નથી પણ ચિંતન સમયે અવશ્ય રચાતી આકૃતિ પરથી ચિંતિત વસ્તુનું અનુમાન તે જ્ઞાની કરી લે છે. જેમ કે તે ઘડા વિશે વિચારતો હોય તે તેના મવર્ગણાના પુદ્ગલો જે આકૃતિ ધારણ કરશે તે પરથી જ્ઞાની મહાત્મા અનુમાન કરી લેશે કે આ માણસ ઘડાને વિચાર કરે છે.
| મન પર્યાય જ્ઞાનના બે ભેદ –મનઃ પર્યાય જ્ઞાનના ક્ષયપશમની વિચિત્રતાને આશ્રીને બે ભેદ કહ્યા છે.
(૧) ઋગુમતિ મને જ્ઞાન - વિષયને જે સામાન્યરૂપે જાણે છે તે ઋજુમતી મનઃ પર્યાય જ્ઞાન કહે છે. તેની સ્પષ્ટતા વૈવિધ્યતા વિપુલમતિ મનઃ પર્યાય જ્ઞાનની અપેક્ષાએ અલ્પ છે.
જે મતિ સામાન્યને ગ્રહણ કરે છે તે ઋજુમતિ કહેવાય છે તેમ કહ્યું અહીં સામાન્ય અર્થ એક અથવા એક રૂપે એમ સમજ.
જેમ કે ઘડા વિષે કઈ ચિંતવન કરતે હોય તો તેના મનમાં પર્યાયે જાણીને ઋજુમતિ મન:પર્યવજ્ઞાની “આ ઘડા વિશે વિચારે છે” એટલું કહી શકશે–તેથી વિશેષ કંઈ જાણી શકશે નહીં, [ોંધ:-ઋજુમતિ સામાન્યગ્રાહી છે પણ તેને દર્શન ન કહેવાય.]
(૨) વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન - વિષયને જે વિશેષરૂપથી જાણે તે વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન જાણવું. ઋજુમતિ કરતાં આ જ્ઞાનને વ્યાપ–સ્પષ્ટતા વધારે છે.
જે મતિ વિશેષને ગ્રહણ કરે છે તેને વિપુલમતિ કહેવાય છે તેમાં કહ્યું. અહી: વિપુલમતિનો અર્થ એક કરતાં વધારે અથવા વિપુલરૂપે વિષયને જાણે છે તેમ સમજવું.
જેમ કે ઘડા વિશે કેઈ ચિંતવન કરતો હોય તે તેના મનના પર્યાયે જાણીને વિપુલમતિ મના પર્યાય જ્ઞાની એમ કહી શકશે કે
આ ઘડા વિશે વિચારે છે તે ઘડે લાલ રંગને છે મટે છે”—. એ પ્રમાણે ઘડા વિશેના ભિન્ન ભિન્ન પર્યાને પણ જાણી શકશે.
[વિશેષ માટે જુઓ સૂત્ર-૨૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org