SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા [6] અનુવૃત્તિ આ સૂત્રમાં કઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી. [7] પ્રબંધ ટીકા ક આ સૂત્રમાં મન: પર્યાય જ્ઞાન ના સ્વરૂપને રજૂ કરવા માટે તેના એ ભેદને રજૂ કરેલ છે. સામાન્યથી મન પર્યાય જ્ઞાનનો ઉલ્લેખ તે અધ્યાયઃ ૧ સૂત્ર : લ્માં કર્યો જ છે. અહીં તેની વિશેષ સ્પષ્ટતા છે. D મન:પર્યાય - એટલે મનના વિચારે. અર્થાત્ પરિણામ વિશેષ. મન પર્યાય અને મન:પર્યવ બંને શબ્દો એકાઈક રૂપે વર્ણવ્યા છે. મનઃ પર્યવ જ્ઞાનથી મનના પર્યા–વિચારો જ પ્રત્યક્ષ દેખાય છે. તે થકી વિચારણીય વસ્તુ પ્રત્યક્ષ થશે નહીં. જે વસ્તુ સંબંધિ વિચારણા હોય તે વસ્તુ અનુમાનથી જણાય છે – કેમકે મન જ્યારે વિચાર કરે ત્યારે વિચારણીય વસ્તુ અનુસાર મને વગણના મુદ્દગલના જુદા જુદા આકાર ગોઠવાય છે. આ આકારો એ જ મનના પર્યાય છે. ] આ જ વાત થોડી શાસ્ત્રીય પરિભાષામાં રજૂ કરતા કહી શકાય કેમનવાળા સંગ્રી પ્રાણીઓ કઈ પણ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિંતન સમયે ચિતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાર્યમાં પ્રવર્તેલું મન ભિન્ન ભિન્ન આકૃતિઓને ધારણ કરે છે. એ આકૃતિઓ જ મનના અથવા મનને વિશે ઉત્પન્ન થયેલા પર્યાય છે. मनः पर्यायाः मनसि पर्यायाः । | મનના પર્યાયે માટે પત્તા એવો શબ્દ પણ વપરાય છે. કેમકે જેમ અક્ષર અથવા ચિત્રોની અમુક પ્રકારે આકૃતિ બને છે તેમ અહીં મન ૫ર્યાય મુજબ મનના આકારે રૂપાન્તર પામે છે. આ રૂપાન્તરીત આકૃતિ પરથી અમુક જીવ શું વિચારે છે તે કહી શકાય છે. મનના પર્યાયની પ્રક્રિયા. I જગત માં પંચેન્દ્રિ છે બે પ્રકારે છે. (૧) મનવાળા (૨) મન વગરના અર્થાત્ સંસી અને અસંસી. તેમાં મનવાળા પ્રાણીઓને જન્મ પૂર્વે જ મનઃ પર્યાપ્તિ બનવાની શરૂ થઈ જાય છે. પછી જીવ તેના અને કાયયેગના બળથી મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy