SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા કર [4] સૂત્રસાર તિ નારકેને અને દેવોને ભવપ્રત્યય (ભવ-નિમિત્તક] અવધિજ્ઞાન હોય છે. [5] શબ્દજ્ઞાન કા તત્ર-તે બે ભેદ જે ઉપર સૂત્ર: ૨૧ માં કહ્યા તે. માઇ: ભવનિમિત્ત-જન્મતાંની સાથે. નાવા નરકમાં ઉત્પન્ન થયેલ જીવ. દેવ દેવો. [9] અનુવૃત્તિ વિઘોડ: સૂત્રથી અવધિઃ શબ્દ લે. [7] પ્રબોધટીકા - સૂત્રમાં કેઈક તત્ર શબ્દ લખે છે અને કોઈક તત્ર શબ્દનો ઉલ્લેખ નથી કરતાં માટે કૌસમાં મુકેલ છે. શ્રી ભાગ્યકારે પોતે તત્ર શબ્દ મુકેલ નથી. | નારકે અને દેવેને સંભવ પ્રમાણે ભવ નિમિત્તક અવધિજ્ઞાન હોય છે તેમ કહ્યું. અહીં મૂળ શબ્દ મા પ્રત્યયઃ મુ. આ મા પ્રત્યયઃ ને અર્થ ભવનિમિત્ત-ભવહેતુક—ભવને કારણે એમ સમજવો. સામાન્ય ભાષામાં તો એટલું જ કહેવાય કે દેવ કે નારકરૂપે જન્મ ધારણ કર્યો એટલે કે તેઓનું તે તે ભવમાં ઉત્પન થવું એ જ તેઓના અવધિજ્ઞાનનું કારણ છે | જો કે અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષાપશમ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે છતાં દેવ અને નારકીઓને અવધિજ્ઞાન થવામાં ક્ષપશમને બદલે ભવનિમિત્તક જ કહ્યું તેનું કારણ ત્યાં ભવની પ્રધાનતા ગણું છે. - જે જીવાત્મા દેવ કે નારક સ્વરૂપે જન્મ પામે તેને નિયમ અવધિજ્ઞાનાવરણ કમને ક્ષાપશમ થઈ જ જાય છે. જેમ પક્ષીઓને જન્મથી જ આકાશમાં ઉડવાને સ્વભાવ છે. તે માટે કંઈ શિક્ષણ લેવું પડતું નથી. ભવને આશ્રીને ચકવતી કે વાસુદેવને તેટલું બળ હોય છે તેમ દેવ કે નારકને અવધિજ્ઞાન હોય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy