________________
અધ્યાય–૧ સૂત્ર-૨૧
૧૬૫
બીજી રીતે કહીએ તે રૂપી અને અરૂપી બે પ્રકારના દ્રવ્યમાંથી [ઇદ્રિય અને મનની અપેક્ષા વિના કેવળ આત્મ શક્તિ વડે માત્રરૂપી દ્રવ્યને જોઈ શકાય તેવા પ્રકારની મર્યાદાવાળું આ જ્ઞાન છે. તેમજ ક્ષપશમ જન્ય હોવાથી મનુષ્ય કે તિર્યંચને જેટલો ક્ષયે પશમ હોય તેટલું જ ઉદ–અધે કે તિછું તે જોઈ શકે છે. તેથી વધારે મર્યાદામાં જોઈ શકતા નથી. | | અવધિજ્ઞાન ના ભેદ :
સૂત્રકારે સૂત્રમાં તે માત્ર એટલું જ જણાવ્યું કે “અવધિના બે ભેદ છે. તેથી વિશેષ કંઈ જ જણાવેલ નથી. પણ તેના ભાષ્યની રચના કરતાં લખ્યું-મા પ્રચાર ક્ષચોપરમ નિમિતે” અર્થાત્,
અવધિના બે ભેદ (૧) ભવ પ્રત્યય (૨) ક્ષપશમ નિમિત્ત. પ્રત્યય એટલે નિમિત્ત અથવા કાણુ. ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવ પ્રત્યયક અને અવધિ જ્ઞાનાવરણય કર્મના ક્ષપશમથી થાય તે ક્ષપશમ નિમિત્તક જાણવું.
ભવપ્રત્યય :-જે અવધિજ્ઞાન જન્મતાંની જ સાથે પ્રગટ થાય છે તે “ભવપ્રત્યય” કહ્યું. અર્થાત્ જેના આવિર્ભાવને માટે વ્રત–નિયમ આદિ અનુષ્ઠાનની અપેક્ષા નથી એવું જન્મસિદ્ધ અવધિજ્ઞાન તે ભવપ્રત્યય.
સૂત્ર : ૨૨ માં જણાવશે તે મુજબ દેવ અને નારક નામે ઓળખાતા–લક્ષણવાળાને તે ભવને પામીને જ જ્ઞાન થાય છે. અહીં દેવનારક ભવ એ લક્ષણ છે અને જ્ઞાન એ લક્ષ્ય છે. તેમાં જીવાત્માઓ દેવપણા કે નારક પણાના શરીરને પામે છે તેને ભવ કહ્યો છે અને તે ભવને આશ્રીને જે અવધિ જ્ઞાન થાય છે તે “ભવપ્રત્યય’ કહ્યું.
ક્ષપશમ નિમિત્ત :- જે અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી. પણ જન્મ લીધા બાદ તપ-ધ્યાન–વ્રતાદિ અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે તેને “ક્ષપશમ નિમિત્ત” અથવા ગુણ પ્રત્યય” અવધિજ્ઞાન કહ્યું.
અહીં ક્ષાપશમ એ લક્ષણ છે અને જ્ઞાન એ લક્ષ્ય છે. અવધિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કે ઉપશમ થવાથી આ જ્ઞાન પ્રગટે છે, તેમાં ઉદયમાં આવેલા ક્ષય અને અને નહીં ઉદયમાં આવેલાને ઉપશમ થાય છે. માટે ક્ષપશમ નિમિત્તે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org