________________
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા ૦ સમ્યક્ દર્શન હોય ત્યાં સમ્યફ જ્ઞાન અવશ્ય સહચારી હેય છે તે મંતવ્યાનુસાર સમ્યક જ્ઞાન હોય ત્યાં સમ્યફ દર્શન હોવાનું જ.
જે તત્વાર્થ ભાષ્યને મત લઈએ તે-“પૂર્વના ગુણની પ્રાપ્તિ હોય તે ઉત્તરના ગુણ પ્રાપ્તિ હેય કે ન પણ હોય. પરંતુ ઉત્તર ગુણની પ્રાપ્તિ થતા પૂર્વના ગુણની પ્રાપ્તિ અવશ્ય હાય.”—એ કથન મુજબ પણ સમ્યફ જ્ઞાન હોય ત્યાં સમ્યક્ દર્શન હોવાનું જ છે.
આ બંને મતથી પણ કદાચ જ્ઞાનની શ્રેષ્ઠતાને વિચાર આવી શકે. તે ત્યાં પણ એ જ સમાધાન છે કે અહીં જ્ઞાન સાથે આપોઆપ દર્શનનું સાહચર્ય તે સ્વીકારાઈ જ જાય છે. તેથી ફક્ત જ્ઞાનની શ્રેષ્ઠતા પૂરવાર થશે નહીં. વળી તેરમા ગુણ સ્થાનકે જ્ઞાન તે પૂર્ણ જ હશે છતાં મોક્ષ ન થવામાં અાગ રૂપે ચારિત્રની પૂર્ણતા જ બાકી રહેવાની. માટે માત્ર જ્ઞાનને મેક્ષનું પૂર્ણ સાધન ગણી શકાય નહીં.
પ્રશ્ન :- સમ્યફ દર્શન સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્રમાં ઉત્તરની પ્રાપ્તિ થતા પૂર્વના ગુણોને લાભ નિશ્ચિત હોવાને જ. તે સમ્યક ચારિત્ર ને જ મોક્ષનું શ્રેષ્ઠ સાધન શા માટે નથી ગણતા?
સમાધાન :- પ્રથમ તે આ પ્રશ્ન થકી જ સમ્યક્ દર્શન અને સમ્યફ જ્ઞાન ના અસ્તિત્વને સ્વીકાર થઈ જાય છે. પરિણામે ત્રણે સાધનને સમનવય સ્વીકૃત બની જ જવાને.
બીજી વાત એ છે કે તત્વની શ્રદ્ધા હશે તે જ્ઞાન પણ સંગત બનશે, અને દર્શન–જ્ઞાન બંને સાધન શુદ્ધ હશે તે પરિણામે ચારિત્ર પણ સમ્યક બનશે. તેથી ચારિત્ર હોય ત્યાં દર્શન અને જ્ઞાન અવશ્ય હોય તે વાત જેટલી સત્ય છે, તેટલું જ એ સત્ય છે કે દર્શન અને જ્ઞાનની સભ્યતા પછી જ ચારિત્ર પણ સમ્યક બનવાનું.
જીવ-અજીવ વગેરે તની શ્રદ્ધા ન હોય, મોક્ષની માન્યતા જ ન હોય તેનું જ્ઞાન કદી સમ્યફ બને નહીં. અને સમ્યક્ દર્શન અને જ્ઞાન વિનાને આત્મા કદી સમ્યફ ચારિત્રી બનશે નહીં. તેથી માત્ર ચારિત્ર પણ મેક્ષનું સાધન બની શકે નહીં.
આગળ વધીને કહીએ તે તેરમાં ગુણસ્થાનકે તે સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન પરિપૂર્ણ છે. કેમકે કેવળ દર્શન કેવળજ્ઞાન થયેલા જ છે.
જ જવાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org