________________
૧૫૬
તત્વાર્થસૂત્ર પ્રધટીકા પછી આ મારે ખાવાલાયક છે એવું જ્ઞાન થતા તુરંત પ્રવૃત્તિ શરૂ થાય છે તે શ્રુતજ્ઞાન છે. શબ્દથી તેને કેઈ એ જ્ઞાન આપેલ નથી પણ આમાને તથા પ્રકારનું કુતબળ [અર્થાત્ ભાવકૃત] તેમાં મદદગાર બને છે. આ જ રીતે એ કેન્દ્રિયથી પંચેનિદ્રય બધાને માટે સમજવું.
શ્રી નંદિસૂત્રમાં જણાવે છે કે “ પુર્વ ને સુયં, જ સુવિધા ગ્રુત જ્ઞાન મતિપૂર્વક હોય છે પણ મતિજ્ઞાન શ્રુતપૂર્વક હોતું નથી. સિદ્ધસેનીય ટીકામાં જણાવે છે કે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં લબ્ધિ રૂપ છે. અર્થાત્ શ્રુતજ્ઞાન થાય ત્યારે પૂર્વે મતિજ્ઞાન અવશ્ય હાય પણ મતિ હોય ત્યાં શ્રત હોય અથવા ન પણ હોય. (૫) મતિ શ્રુતમાં તફાવત છે? [ આ તફાવત પહેલાં સૂત્રઃ ૯માં કહેવાયેલ છે, છતાં અહીં નેધેલ છે.]
૦ મતિ-શ્રુત તફાવતની ભૂમિકા ; ,
મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. કેમકે મતિપૂર્વક શ્રુત ઉત્પન થાય છે છતાં મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનનું બહિરંગ કારણ છે. અંતરંગ કારણ તે કૃતાવરણને ક્ષોપશમ છે. કેમકે ક્ષાપશમ ન હોય તે મતિજ્ઞાન થવા છતાં શ્રુતજ્ઞાન ન થાય.
માનસિક ચિંતનથી થતા મતિ-કૃતમાં પણ નોંધનીય તફાવત શબ્દ–આપ્તપદેશ કે શ્રત છે. આ ત્રણ હિત ચિંતન મતિજ્ઞાન છે. તેને સહિતનું ચિંતન શ્રુતજ્ઞાન છે. શ્રુતકેવળી પણ જાણેલા પદાર્થોનું ચિંતન શ્રતગ્રંથની સહાયરહિત કરે ત્યારે તે મતિજ્ઞાન છે. શ્રુતગ્રંથ સહાય પૂર્વક કરે ત્યારે શ્રુતજ્ઞાન છે.
એ જ રીતે સામાન્ય છ શબ્દાદિ હિતપણે જે ચિંતન કરે તે મતિજ્ઞાન છે અને શાદિપૂર્વક કરે તે શ્રુતજ્ઞાન છે. - ૦ મતિ-શ્રુત તફાવત :
(૧) વિદ્યમાન - મતિજ્ઞાનવર્તમાનકાલીન છે. ઉત્પન્ન થઈ નાશ ન પમ હાથ વાં સુધી તે પદાર્થને : જાણે છે. જ્યારે શ્રુતજ્ઞાન અતિત-વિદ્યમાન તથા ભાવિ કાલિક વિષયમાં પ્રવૃત્ત થાય છે.
(૨) શોલેખ :- મતિજ્ઞાનમાં હેત નથી કૃતજ્ઞાનમાં શબ્દને ઉલેખ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org