________________
અધ્યાય-૧ સૂત્ર-૧૮
૧૪૩
] જ્ઞાનધારા આવિર્ભાવ ક્રમ :- આત્માની આવૃત જ્ઞાનધારાને આવિત થવા માટે પ્રારંભમાં તે ઇંદ્રિય અને મનની બાહ્ય મદદ જરૂરી બનશે પણ જ્ઞાનધારાને આવિર્ભાવ ક્રમ સમાન હોતા નથી.
આ કમ બે પ્રકારે છે :
(૧) મદકમ :- ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણેનિદ્રયને સંયોગ-કચજ્ઞન–થતાં જ જ્ઞાનને આવિર્ભાવ થાય છે. પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે તેથી “આ કંઈક છે” એ સામાન્ય બંધ પણ થતું નથી. ધીમે ધીમે જ્ઞાનની માત્રા વધતી જાય છે પછી “આ કંઈક છે તે બોધ થાય છે. આ સામાન્ય ભાન કરાવનાર જ્ઞાનાંશ થવપ્રદુ કહેવાય છે. આ અર્થાવગ્રહ એ એજ્ઞના ઘટ્ટ ને છેલ્લે પુષ્ટ અંશ છે.
આ મંદક્રમમાં જે ઉપકરણેન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા બતાવી છે તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અર્થાવગ્રહ સુધી જ છે.
(૨) પટુકમ :- આ ક્રમમાં ઉપકરણેન્દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા નથી દૂરદરતર હોવા છતાં પણ વેગ સંનિધાન માત્રથી ઈદ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે. અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઈદ્રિય દ્વારા શરૂઆતમાં જ અર્થાવગ્રહ રૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે પછી કમપૂર્વક ઈહા–અપાયાદિ જ્ઞાન વ્યાપાર થાય છે.
આ રીતે મંદકમની જ્ઞાનધારામાં પ્રથમ અંશે અવ્યક્ત રૂપ વ્યંજનાવગ્રહ છે અને અંતિમ અંશે અર્થાવગ્રહ રૂપ જ્ઞાન છે જ્યારે પટુકમની જ્ઞાનધારામાં પ્રથમ અંશ અર્થાવગ્રહ છે અને અંતિમ અંશ મૃતિ રૂપ ધારણા છે.
[] જંગના માં ષષ્ઠી વિભક્તિ કેમ? વ્યંજન-વિષયરૂપ પદાર્થોને અવગ્રહ બતાવવા માટે વ્યંજન શબ્દને સૂત્રમાં છઠ્ઠી વિભક્તિ લગાડી છે.
કેટલાંક પ્રશ્નો :(૧) મતિજ્ઞાનના કેટલાં ભેદ થયા?
- - મતિજ્ઞાનના ૩૩૬ ભેદ થયા. પાંચ ઈન્દ્રિય અને છઠું મન એ છ ને અર્થાવગ્રહ–અર્થે હા–અર્થાપાય–અર્થધારણું એ ચાર ભેદે ગુણતાં [૬ ૪ ૪] ૨૪ ભેદ થશે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only