________________
અધ્યાય–૧ સૂત્ર-૧૮
૧૪૧
સિદ્ધસેનીય ટીકામાં તેની વ્યાખ્યા કરતાં લખ્યું કે “જેના વડે અથ પ્રકાશીત થાય છે. [ચત્તે તે વ્યંજન” કહેવાય છે. જેમ દીવા વડે (દીવાના પ્રકાશ વડે) ઘડે જણાય (ઓળખાય) છે. તેમ અહીં વ્યંજન વડે અર્થ પ્રકાશીત થાય છે.
વ્યંજનની બીજી વ્યાખ્યા સંલેષ રૂપ કહી છે. ઉપકરણ ઈદ્રિય સ્પશન આદિને સ્પર્શાદિ આકારથી પરિણત પુદગલ દ્રવ્યોની સાથે જે પરસ્પર સંશ્લેષ” તે વ્યંજન. તેને જે અવગ્રહ તે ચંગનચાવપ્રદ T વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૯૪માં કહ્યું
वंजिज्जइ जेणत्थो घडोव्व दीवेण वंजणंतंच
उवकरणि दिअसदाइ परिणओ दव्व संबंधो પૂવે વ્યાખ્યા કર્યા મુજબ જ આ શ્લોકનો અર્થ પ્રગટ કરતાં શ્રીમાન્ હરિભદ્રસૂરિજી જણાવે છે કે-“જેમ દીવા વડે ઘડે પ્રકાશે છે (ઓળખાય છે) તેમ વ્યંજન વડે અર્થ પ્રકાશાય છે.
બીજી વ્યાખ્યામાં વ્યજન એટલે ઉપકરણ ઈદ્રિયને શબ્દાદિ. વિષયમાં પરિણત દ્રવ્ય સંબંધ.
|| સ્પર્શનાદિ ઉપકરણ ઈન્દ્રિય સાથે સંબંધિત સ્પર્શનાદિ આકાર પરિણત પુદ્ગલોને વ્યંજન કહે છે. તેનું ગ્રહણ કરવું તે વ્યંજનાવગ્રહ.
| વ્યંજનાવગ્રહ માં અર્થનું અવ્યક્ત પણું છે જ્યારે અર્થાવગ્રહમાં અર્થનું વ્યક્ત કે પ્રગટપણું છે. તેને દૃષ્ટા થી જોઈએ—અંધકારમાં અથવા બે ધ્યાનપણામાં પુસ્તકનો સ્પર્શ થાય ત્યારે ક્ષણવાર તે વસ્તુનું જ્ઞાન પ્રગટપણે થતું નથી. પુસ્તકના સ્પર્શ વિશે આ અવ્યક્ત જ્ઞાન તે વ્યંજના વગ્રહ.
પરંતુ જ્યારે પ્રગટરૂપે પુસ્તકનું સ્પર્શ જ્ઞાન થાય ત્યારે તેને અર્થાવગ્રહ કહેવાય.
| અવ્યક્તને અર્થ – એક માટીનું કેરું વાસણ હોય તેને પાણીના છાંટા નાખી ભીંજવવાનું શરૂ કરવામાં આવે ત્યારે થોડાક છાંટા પડવા છતાં તે સુકાઈ જાય છે જેનાર તે તે વાસણ કેરું જ લાગશે છતાં યુક્તિથી તે તે ભીનું છે એ વાત માનવી જ પડશે.
અહી જ્યાં સુધી માટીનું વાસણ પાણી ચૂસી જાય છે. ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org