________________
-
-
તત્વાર્થસૂત્ર પ્રધટીકા એકનો અભાવ એ મેક્ષનું સાધન બની શકે નહીં. | સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન-સમ્યક ચારિત્રની અલગ અલગ વિચારણુ.
પ્રશ્ન :- શબ્દ નયની અપેક્ષાએ સમ્યક દર્શન વગેરે શબ્દથી ક્ષાયિક અને પૂર્ણ સમ્યફ દર્શન વગેરે ગ્રહણ કરવા જોઈએ તે ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક ચારિત્ર ક્રમમાં જ પ્રગટ થવાના. તે મુજબ ચેથાથી સાતમા ગુણ સ્થાનક સુધી ક્ષાયિક દર્શન પછી તેરમા ગુણ. ઠાણે ક્ષાયિક જ્ઞાન, ચૌદમાં ગુણઠાણાના અંતે ક્ષાયિક ચારિત્ર રહે છે, તેથી ક્ષાયિક ગુણની પૂર્ણતામાં પૂર્વ ગુણ હોય તે ઉત્તર (પછી) ગુણ પ્રગટ થાય. આ નિયમ મુજબ ક્ષયિક સમ્યક્ દર્શન હોય તે અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થવાની છે.
તે પછી સમ્યકદર્શનરૂપ સાધનની શ્રેષ્ઠતા કેમ નથી સ્વીકારતા ?
સમાધાન–કેવળી કે વીતરાગ પરમાત્માની સાથે સાથે શ્રીકૃષ્ણ મહારાજા કે શ્રેણિક જેવા ભાવિ તીર્થકરના આત્માઓ પણ ક્ષાયિક દર્શનયુક્ત જ હોય છે જેઓ દેવ કે નારકી ગતિમાં અવિરતિવંત હોય તે પણ ક્ષાયિક સમ્યક દર્શનનો સદ્દભાવ તે રહેવાને જ, પરિણામે આવા અવિરતિ સમક્તિ દૃષ્ટિને પણ જે સમ્યફ દર્શનની શ્રેષ્ઠતા સ્વીકારીએ તો વંદન કરવું પડશે.
બીજી વાત એ કે ચેથા ગુણઠાણે જે ક્ષાયિક સમક્તિની વાત તમે સ્વીકારી, તેવી રીતે સાથે સાથે ચૌદમ ગુણઠાણે ક્ષાયિક ચારિત્રને પણ તમે સ્વીકારે છે. જે ક્ષાયિક દર્શનને જ શ્રેષ્ઠ ગણશો તે વચ્ચે દશ તબક્કા [આમાના વિકાસ કામના પાંચથી ચૌદ સ્થાનકને પ્રવાસ બાકી રહેવાથી મોક્ષ થવાને નથી એટલે માત્ર સમ્યક્દર્શનને શ્રેષ્ઠ સાધન ગણું શકાય નહીં.
જે વિણુ નાણુ પ્રમાણન હવે ચારિત્ર તર નવિ ફળીયો”
પૂ. યશોવિજયજી મહારાજની આ પંક્તિથી કદાચ દર્શનની શ્રેષ્ઠતા જણાય ત્યાં પણ એ જ સમજવું કે આ પંક્તિ સમ્યક્દર્શનનું મહત્વ પ્રસ્થાપિત કરવા માટે છે. પણ ત્યાં જ્ઞાન અને ચારિત્ર એ બે સાધનને લેપ કરવાને ભાવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org