________________
અધ્યાય-૧ સૂત્ર-૧૭
૧૩૭ ૦ વર્થ શબ્દ :– સ્પર્શ વગેરે સામાન્ય નિદેશથી સ્વરૂપ અને અને નામાદિ કલ્પના રહિત એવા અવગ્રહને ગાહક છે.
(૧) તેને જ સ્પર્શ વગેરે તે અવગ્રહ (૨) શું આ સ્પર્શ છે કે નહીં તે જણાવનારી ઈહા
(૩) નાના આ “તે સ્પર્શ જ છે એ પ્રમાણે જણાવનાર અથનું જ્ઞાન તે અપાય.
(૪) તે જ સ્પર્ધાદિ અથને અપાય થયા બાદ પછીના કાળે જે અવિરકૃતિ તે ધારણું.
આ પ્રમાણે રસ–ગંધ-રૂ૫–શબ્દ વગેરેના અથના પણ અવગ્રહાદિ સમજી લેવા.
સૂત્રને સમગ્ર અર્થ—એ છે કે પાંચ ઈન્દ્રિયોના અને મનના વિષયભૂત વર્ણાદિ રૂપ અને તે જેમાં હોય તે દ્રવ્યરૂપ અર્થોને જાણવા માટે પાંચ ઈન્દ્રિય અને છઠું મન પ્રવૃત્તિ કરે છે તે વખતે આત્મામાં અનુક્રમે અવગ્રહ–હા–અપાય-ધારણા ઉપગ રૂપ મતિ જ્ઞાનોપગો બહુ-બહુવિધ આદિ બાર ભેદે પ્રવર્તે છે. T કેટલીક શંકા :
એટલે વસ્તુ, દ્રવ્ય અને પર્યાય બંને વસ્તુ કહેવાય. તે - ઈદ્રિય-અનિદ્રિય અવગ્રહ–હા–અપાય-ધારણા જ્ઞાન દ્રવ્યરૂપ વસ્તુને વિષય કરે છે કે પર્યાય રૂપ વસ્તુને ?
–સમાધાન- ઉક્ત અવગ્રહાદિ જ્ઞાન મુખ્યપણે પર્યાયને ગ્રહણ કરે છે. સંપુર્ણ દ્રવ્યને નહીં. દ્રવ્યને એ પર્યાય થકી જાણે છે કેમ કે ઈદ્રિય અને મનને મુખ્ય વિષય પર્યાય જ છે. પર્યાય દ્રવ્યનો એક અંશ છે. - પરિણામે અવગ્રહ-ઈહા વગેરે જ્ઞાન દ્વારા જ્યારે ઈદ્રિયો કે મન પિતપોતાના વિષયભૂત પર્યાયને જાણે છે ત્યારે તે તે પર્યાયરૂપથી દ્રવ્યને પણ અંશત: જાણે છે. કેમ કે દ્રવ્યને છેડીને પર્યાય રહી શકતો નથી.
જેમકે ચક્ષનો વિષય રૂ૫ અને આકાર છે કે જે પુદ્ગલ દ્રવ્યના અમુક પર્યાય છે. જ્યારે ચક્ષુ કેરી વગેરેને ગ્રહણ કરે છે ત્યારે ભાવાર્થ એટલે જ કે તે કેરીના રૂપ તથા આકાર વિશેષને જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org