SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર-૧૬ ૧૩૩ રસના-ઈન્દ્રિય:-મુખમાં મુકેલ પદાર્થમાં તી–ખા-ખારે બધાં સ્વાદને જાણે તે બહુગ્રાહી અને એકાદ સ્વાદને જ જાણે તે અબહુગ્રાહી અવગ્રહાદિ જાણવા. |કેટલીક શંકા – (૧) આ બાર ભેદેમાં વિષય વૈવિધ્યતા ને લીધે કેટલા અને ક્ષપશમ ની પટુતા કે મંદતાને લીધે કેટલા ભેદ થશે? - - બહુ-અબહુ અને બહુવિધ–અબહુવિધ એ ચાર ભેદ વિષયની વિવિધતા ઉપર અવલંબિત છે. બાકીના ક્ષિપ્ર વગેરે આઠ ભેદ ક્ષપશમની પટુતા કે મંદતા પર આધાર રાખે છે. (૨) બહુ-બહુવિધમાં શું તફાવત છે? ઘણું પદાર્થોની જાણકારી તે બહુગ્રાહી છે પણ પદાર્થોના પેટા ભેદેની માહિતીને બહુવિધ ગ્રાહી ગણે છે. અર્થાત્ બહુગ્રાહીમાં પ્રકાર ભેદ ઇષ્ટ નથી પણ બહુવિધાગ્રહીમાં પ્રકારભેદ ઇષ્ટ ગણેલ છે. જેમ ફૂટ શ્રીખંડ ખાનારે રસના ઈન્દ્રિયના અવગ્રહથી દરેક ફળને જાણે તે બહુગ્રાહી અને દરેક ફળને જાણવા સાથે કર્યું ફળ ખાટું છે? કયું મીઠું છે. એમાં સ્વાદ પણ સાથે જાણે તે બહુવિધ ગ્રાહી કહેવાય. (૩) સૂત્રમાં ષષ્ઠી વિભક્તિ કેમ પ્રયોજી? સૂત્ર : ૧–૧૫ વદિપાવધાળા માં પ્રથમ વિભક્તિ છે ત્યાં વઘાર કૃદન્ત છે. કુદરતનું કર્મ ષષ્ઠયન્ત થાય છે. તેથી અવગ્રહાદિ કૃદન્તના કર્મ એવા બહબહુવિધ ને ષષ્ઠી થઈ છે. જે કે અર્થ તે કર્મ હોવાથી દ્વિતીય વિભક્તિ મુજબ જ થવાને છે. જેમકે ષષ્ઠી હોય તે-“તેને અવગ્રહ કરે” અર્થ થાય અને દ્વિતીચાનુસાર “તેને અવગ્રહી થાય, અહીં બહુ-અપ આદિ શબ્દ વિષયના વિશેષણરૂપે વપરાય છે જેમકે બહુ અર્થને ધારે–અલ્પ અર્થને અવગ્રહે વગેરે. (૪) ધુવાવગ્રહ અને ધારણમાં ભેદ છે ? ધ્રુવ-અવગ્રહ એ અત્યંત ભાવિ અર્થમાં છે ક્ષોપશમની તીવ્રતાને લીધે પહેલા સમયે જેવો અવગ્રહ થયે તે જ બીજા-ત્રીજા આદિ સમયે થાય તે ધ્રુવાવગ્રહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy