________________
૧૩૦
તત્વાર્થસૂત્ર પ્રધટીકા
આ રીતે મતિજ્ઞાન થતા ક્ષીપ્રગ્રાહી અવગ્રહ–ક્ષીપગ્રહિણી ઈહાક્ષીપ્રગ્રાહી અપાય ક્ષીપ્રગાહી ધારણું કહેવાય.
(૬) અક્ષિપ્રગ્રાહી:–અક્ષિપ્ર એટલે વિલંબથી થનારુ જ્ઞાન. જેને માટે સિદ્ધસેની ટીકામાં જિળ શબ્દ વાપર્યો છે.
વિરેજ–ઘણાં કાળે કરીને જાણવું.
જેમ સંગીતના સૂરમાં શરણાઈ સીતાર તબલા વગેરે વાગતા હેય પણ પિતાના આત્મા વડે ઘણાં કાળે કે વિલંબથી તે જાણે. ક્ષપશમની મંદતાને લીધે આ વિષયનું જ્ઞાન વિલંબથી થાય.
આ રીતે મતિજ્ઞાન થતા અક્ષિપ્રગ્રાહી અવગ્રહ અક્ષિપ્રગ્રાહી ઈહા અક્ષિપ્રગ્રાહી અપાય અને અક્ષિપ્રગ્રાહી ધારણા કહેવાય. (૭) અનિશ્રિતગ્રાહી:-[દિગંબર આમ્નાયમાં નિવૃત શબ્દ છે.] અનિશ્રિત એટલે નિશાની–લિગ કે ચિહ્ન રહિત પણે જ્ઞાન થવું તે લિંગ દ્વારા અપ્રમિત અથવા હેતુ દ્વારા અનિણત વસ્તુ એટલે અનિશ્રિત ગ્રાહી.
જેમ કે વજાને જોયા વિના જ આ મંદિર છે એમ જાણી શકે અથવા શીત–કમળ વગેરે સ્પર્શ ચિહ્નો સિવાય જ આ જૂઈના ફૂલે છે તેમ જાણી શકે તેને અનિશ્રિત ગ્રાહી કે અલિંગગ્રાહી અવગ્રહ જાણ.
આ રીતે મતિજ્ઞાન થતા અનિશ્રિતગ્રાહી અવગ્રહ-અનિશ્રિત ગ્રાહિણી ઈહા-અનિશ્રિતગ્રાહી અપાય અને અનિશ્રિત ગ્રાહી ધારણા કહેવાય. | શ્રી નંદીસૂત્રની શ્રી મલયગિરિ ટકા મુજબ-“પરધર્મોથી નિશ્ચિત ગ્રહણ તે નિશ્ચિત પ્રદુ પરધર્મોથી અનિશ્ચિતતે નિશ્ચાવબહુ
(૮) નિશ્ચિતાગ્રાહી– નિશ્રિત એટલે નિશાની ચિહ્યું કે લિંગ સહિત પણે જ્ઞાન થવું તે.
લિંગ દ્વારા પ્રમિત કે હેતુ દ્વારા નિર્ણિત વસ્તુ તે નિશ્રિતગ્રાહી જ્ઞાન સમજવું.
જેમ દવજાને જોઈને અહીં મંદિર હશે તેમ જાણે અથવા શીતકેમળ સ્પર્શ ચિહ્ન કે અમુક પ્રકારની સુગંધથી જઈના ફૂલે છે તેમ જાણે તેને નિશ્રિત અથવા સલિંગગ્રાહી જ્ઞાન જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org